SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ૧૦૩ ધર્મમાં મારે કાળ ગાળવાનો નિયમ રાખ્યો છે. સશાનાં વાચનમનન, પુરુષોના સમાગમ, યમ-નિયમ, એક મહીનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બન ગુપ્તદાન, એ આદિ ધર્મ રૂપે મારે કાળ ગાળું છું. સર્વ વ્યવહાર સંબંધીની ઉપાધિમાંથી કેટલોક ભાગ બહુ અંશે મેં ત્યાગે છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિગ્રંથ થવાની ઇચ્છા રાખું છઉં. હમણાં નિગ્રંથ થઈ શકું તેમ નથી; એમાં સંસારમેહિની કે એવું કારણ નથી; પરંતુ તે પણ ધર્મ સંબંધી છે. ગૃહસ્થ ધર્મનાં આચરણ બહુ કનિષ્ટ થઈ ગયાં છે; અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે, એટલા માટે થઈને ધર્મ સંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બધી યમનિયમમાં આવ્યું છઉં. દર સપ્તાહિકે આપણે ત્યાં પાંચસે જેટલા સહસ્થની સભા ભરાય છે. આઠ દિવસને નવો અનુભવ અને બાકીને આગળનો ધર્માનુભવ એમને બે ત્રણ મુહૂર્ત બધું છઉં. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રને કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રી વર્ગને ઉત્તમ યમનિયમને બેધ કરી સપ્તાહિક સભા ભરે છે. પુત્ર પણ શાસ્ત્રને બનો પરિચય રાખે છે. વિદ્વાનનું સન્માન, અતિથિને વિનય, અને સામાન્ય સત્યતા–એક જ ભાવએવા નિયમે બહુધા મારા અનુચરે પણ સેવે છે. એ બધા એથી સાતા ભેગવી શકે છે. લક્ષ્મીની સાથે મારાં નીતિ, ધર્મ, સગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મા–પ્રશંસા માટે હું કહેતા નથી, એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પુછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહે જઉં છઉં. “આ સઘળાં ઉપરથી હું સુખી છઉં એમ આપને લાગી શકશે, અને સામાન્ય વિચારે મને બહુ સુખી માને તે માની શકાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy