________________
૧૬
ચરોતર પ્રદેશમાં વિચરવું
પ્રથમ ખંભાત શ્રીમદ્દ એક અઠવાડિયું સં. ૧૯૪૬ માં રહ્યા, પછી થેડે વખત ખંભાતથી થોડે દૂર રાળજ નામના ગામમાં સં. ૧૯૪૭ માં રહ્યા હતા. તે વખતે અજાણપણે એકાંતમાં રહ્યા હતા. હડમતાળા (હડમત)થી મુંબઈ જતાં વચ્ચે ખંભાત સં. ૧૯૫૧ના આ માસમાં આવ્યા હતા. મુંબઈથી સં. ૧૯૫રમાં શ્રીમદ્દ લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને ચરોતરમાં આવ્યા હતા. શ્રી અંબાલાલભાઈ શ્રી સોભાગ્યભાઈ, તથા શ્રી ડુંગરશી ગોળસીઆ સાથે શ્રીમદ્ બાર દિવસ અગાસ પાસેના કાવિઠા ગામમાં રહ્યા હતા. પછી શ્રીમદ્દ રાળજ ગામમાં પારસીને બંગલે આઠદશ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી વગેરે સાધુઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. ચોમાસામાં સાધુથી વિહાર કરી બીજે ગામ ન જવાય એવ જન મુનિઓને આચાર છે. તેને અનુસરીને શ્રી લલ્લુજી સ્વામી જંગલમાં હમેશ નિવૃત્તિ અર્થે જતા પણ રાળજ સુધી જવાનું નહિ. ખંભાતના બધા મુમુક્ષુઓને દર્શન અને બેધને લાભ મળતો અને તેમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org