________________
ભગતના ગામના ભક્તશિરોમણિ શ્રી ભાગ્યભાઈ ૧૧૫ અમને વારંવાર ભાસે છે. શ્રી સૌભાગ્યની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા યોગ્ય છે.”
શ્રીમને સમ્યફજ્ઞાનની પ્રાપ્તિ હતી છતાં મુમુક્ષુ જીના સત્સંગની ભાવના વિશેષ રહ્યા કરતી. ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં શ્રી ભાગ્યભાઈ યથાશક્તિ ભાગ આપી શ્રીમદ્ પાસે બહુ સારા ખુલાસા કરાવતા. બીજા મુમુક્ષુઓને કંઈશ્રીમદ્દને કહેવું હોય તો વૃદ્ધ શ્રી ભાગ્યભાઈ દ્વારા વિનંતિ કરાવતા; અને દયાળુ દિલના હોવાથી તે સરળભાવે દરેકની વાત રજુ કરતા. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખવાની પ્રેરણા પણ શ્રી ભાગ્યભાઇએ કરેલી કે “છ પદને પત્ર” ગદ્ય હોવાથી મુખપાઠ થતો નથી તે તે ભાવાર્થનું પદ હોય તે સર્વ મુમુક્ષુઓના ઉપર મહા ઉપકાર થાય.
એક પત્રમાં શ્રી ભાગ્યભાઈ શ્રી આત્મસિદ્ધિ વિષે લખે છેઃ
ગોસળીઓ આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે અને વિચારે છે, તેમજ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠ કર્યા છે અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યા ન હતા તે આજ સુધી દેહ રહેવું મુશ્કેલ હતું. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપે કૃપા કરી ટીકા અર્થ મોકલવા લખ્યું છે જે હવે તરતમાં આવે તે આનંદ લેવાય. નીકર પછી આંખે સૂઝે નહીં ત્યારે વાંચી શકાય નહીં; અને જ્યારે પિતાથી વંચાય નહીં ત્યારે બીજાના વાંચવાથી તે આનંદ આવે નહીં. માટે કૃપા કરી મોકલાવશે. ઘણું શું લખું ? ”
શ્રીમદ્દ પિતાની ઉપકાર ધમાં લખે છેઃ
“હે! જિન વીતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org