________________
મોક્ષમાળા-બાલાવબેધ
કપિલમુનિ'ની કથા ત્રણ ભાગમાં પાઠી તૃષ્ણની કનિષ્ટતા તથા અનંતતા જણાવી, તેને ત્યાગથી સંતોષરૂપ કલ્પવૃક્ષ દ્વારા કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે એ ઉપદેશ કરતી સુંદર કથા કહી છે.
તૃષ્ણાની વિચિત્રતા' વિષે કાવ્ય દ્વારા તૃષ્ણ, મમતા, જંજાળ વય વધે તેમ વધતી જાય છે પણ શાંત થતી નથી એ વાત સુંદર મનહર સુભાષિત પદ્યમાં સમજાવી છે.
પ્રમાદને પાઠ નિબંધના રૂપમાં ઉત્તરાધ્યન સૂત્રના કુમપત્ર અધ્યનના સારરૂપ અસરકારક શૈલીથી લખાય છે. “અતિ વિચક્ષણ પુરુષ સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે; પળને પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહેરાત્રના ચેડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે; અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિસ્થા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાંખે છે. એનું પરિણામ તેઓ અગતિરૂપ પામે છે. એક પળ પણ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે!”
વિવેક એટલે શું?’ એ પાઠ ગુરુ-શિષ્યના સંવાદ રૂપે “વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક છે તે સમજાવવા લખે છે. તેમાં ગુરુ વિવેકનો સૂક્ષ્મ પણ સુંદર અર્થ સમજાય છે. “સંસારનાં સુખો અનંતવાર આત્માએ ભગવ્યાં છતાં, તેમાંથી હજુ પણ મેહ ટળ્યો નહીં, અને તેને અમૃત જેવાં ગણ્યાં એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે. તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડો ગણ્યો; આ પણ અવિવેક છે. જ્ઞાન– દર્શનાદિ ગુણોને અજ્ઞાન-દર્શને ઘેરી લઈ જે મિત્રતા કરી નાંખી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org