SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ ાજચંદ્ર જીવનકળા ‘શાશ્વત્’, ‘સુખસ્વરૂપ' એવું‘આત્મજ્ઞાન' થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પેાતાના હિતના ત્યાગ કરવાના વખત આવે છે; અને અનિત્ય પદાર્થના રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણના યાગ રહ્યા કરે છે. २२२ “કંઈ પણ આવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે એમ જાણી, ઘણા સંતેાષ થયેા છે; તે સંતેષમાં મારે કંઇ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચઢવા ઇચ્છે છે. તેથી સંસારલેશથી નિવૃત્તવાન તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારના સંભવ દેખી સ્વભાવે સંતાષ થાય છે. ' ' શ્રી લલ્લુજી ઉપરના છ પ'ના પત્રમાં શ્રીમદ્ લખે છે: ‹ અનાદિ સ્વ×દશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવને અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ ‘છ પદ'ની જ્ઞાની પુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પિરણામ કરે તે। તે સહજ માત્રમાં જાગ્રત થઇ ‘સમ્યક્દર્શન’તે પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઇ સ્વસ્વભાવ રૂપ મેક્ષને પામે. કાષ્ઠ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવન વિષે તેને હર્ષ, શાક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું સંપૂર્ણપણું અવિનાશીપણું અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અભ્યાસથી અક્યતા થઇ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયેાગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણુ, રાગાદિ બધા રહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે, જે જે પુરુષાને સમ્યક્દર્શન અને મેાક્ષની પ્રાપ્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy