SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા એને કઈ (હા કરનારા નારાને કોઈ વિષયની સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જે કે બને તેવું નથી; પણ સુલભબધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કરતા રહે, તે પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે. “દુ સમ કાળના પ્રતાપે, જે લેકે વિદ્યાને બોધ લઈ શકયા છે તેમને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કંઈ (શ્રદ્ધા) સરળતાને લીધે હોય છે, તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી; ગતાગમવાળો કઈ નીકળે છે તેને વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણુ પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણુ વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહે છે કે આપણું બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે, તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય છે જોઈએ; તેમ જ આપણા ગુનાં વચન પર જ આપણે વિશ્વાસ રાખ જોઈએ; પછી તે ગુરુ ગમે તે શાસ્ત્રોનાં નામ પણ જાણતા ન હોય, પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમજ આપણે જે માનીએ છીએ, તે જ વીતરાગને બધેલો ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એને પણ અપેક્ષાથી જોતાં દેષ નથી. જે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ ભાન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય, તે મતમાં જ દીક્ષિત પુનું મચ્છ રહેવું થાય છે. દીક્ષિતમાં પણ ભકિકતાને લીધે કાં તે દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મુંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy