________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ
કરેલું છે, જેની અંદર એકસા તે આઠ કાવ્યા છે અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ ખસેા પૃષ્ટનું થશે. અગાઉથી ગ્રાહક થનાર પાસે રૂ. ૧૦-૦-૦ લેવામાં આવશે. નીતિદર્શક પુસ્તકાના ફેલાવ થવાને આધાર પ્રજા પર રહે છે. આ કાવ્યમાળા પ્રસિદ્ધ થઈ છે કે નહિ તેની માહિતી મળી નથી. લખેલી નકલ પણ મળી શકી નથી.
३२
કોઈ ને એમ પ્રશ્ન થાય કે નીતિનાં પુસ્તકા લખવાની આ મહાપુરુષને શી જરૂર હતી ? આત્મ અનુભવ વિષે કે ધર્મના મૂળ મુદ્દા વિસ્તારથી સમજાવવાની શરૂઆત કેમ ન કરી ? તેનું સમાધાન તેમના જ શબ્દમાં નીચે લખ્યું છેઃ
“ જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હાય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈ એ; નહીં તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગાપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે; અને તે જ જીવને સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિએ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. '
""
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org