SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદના ઓળખીતાઓમાંથી યથાર્થ આળખનાર ઉજમશીભાઈના સ્નેહી મારીવાળા વિનયચંદ પોપટલાલ દફ્તરીને કાગળ લઈ શ્રીમદ્ ભાઈ જેશંગભાઈ શેઠ પાસે આવ્યા હતા. તે ભલામણપત્ર અનુસાર ‘મેાક્ષમાળા’ છપાવી તેની અમુક પ્રતા લેવા વગેરેની મદદ તેમણે યથાશક્તિ કરી હતી. તેમના ઉતારે શેઠ જેશંગભાઇ ઘણી વખત રાત્રે જતા. શ્રીમદ્ તેમના મનની વાતા જાણીને પ્રગટ કહેતા તેથી તેમને તથા સમાગમમાં આવનારને આશ્ચર્ય લાગતું અને વિદ્વાન માટા માણસ છે એમ જાણી શકેલા; પણ આત્મકલ્યાણુની ભૂખ તે વખતે લાગેલી નહિ તેથી યથાર્થ ઓળખાણ થયેલું. નહિ. બહારની આડત સાથે વિશેષ સંબંધ હૈાવાથી પ્રસંગાપાત શેઠ જેશંગભાઇને પરગામ જવું પડતું અને નિવૃત્તિ એછી મળતી તેથી તેમના નાના ભાઇ શ્રી બૂટાભાઈને તેમની સ્વાગતમાં સુપરત કર્યા હતા. શ્રી. જૂટાભાઈ શ્રીમદ્ની બરદાસ રાખતા. તેથી તેમને શ્રીમદના વિશેષ પરિચય થયા અને પૂર્વેના સંસ્કારને લઇને ગાઢ એળખાણ થયું; અને શ્રીમદ્ પ્રત્યે તેમના પૂજ્યભાવ વધતા ગયા. આ વખતે શ્રી જૂઠાભાઇ સાથે શ્રીમદ્ તેમની દુકાને ઘણી વખત જતા, ખેસતા અને બીજાના મનની વાતેાજાણી કહેતા તેથી તેમને વિનાદ ઊપજતા. શે: દલપતભાઈ ભગુભાઈ તે વંડે શ્રીમદે એ અરસામાં અવધાન કરી બતાવ્યાં હતાં. તે જોઇને તથા દરરાજના પિરચયથી આત્મપ્રભાવની છાપ પડવાથી શ્રી જૂઠાભાઈ તે શ્રીમના સમ્યગ્દર્શનાદિ અંતરગુણાની યથાર્થ ઓળખાણ થયેલી; તેથી તે શ્રીમના બહુ ગુણગ્રામ કરતા. ૧૭ એક વખત શેઠ દલપતભાઇને પુસ્તક ભંડાર જોવા શ્રીમદ્ શ્રી જૂટાભાઈ સાથે પધારેલા તે વિષે શ્રી જાડ઼ાભાઇએ શેઠ જેશંગભાઇને વાત કરેલ કે શ્રીમદ્ પુસ્તાનાં પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકાનું રહસ્ય સમજી જતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy