________________
અવધાન
તેઓએ તેમના હાથમાં જેમ જેમ પુસ્તક મૂકવામાં આવ્યાં, તેમ તેમ તે પુસ્તકોનાં નામ હસ્ત વડે સ્પર્શ કરી કહી દીધાં હતાં. એ જ તારીખના “જામે જમશેદમાં છપાયું છે કે ડો. પિટરસને પિતાને આ અખતરાથી બેહદ અચરતી પામેલા જણાવ્યા હતા.
અમારા સાંભળવામાં આવ્યું છે કે આગલે દિવસે પિતાને મળેલી એક મેજબાની વખતે કેટલીક વાનીઓમાં મીઠું વધતું ઓછું હતું, તે કવિએ (શ્રીમદ્ રાજચંદ્ર) ચાખવા કે હાથ લગાડયા વિના માત્ર નજરે જોઈ કહી આપ્યું હતું – જામે જમશેદ'.
“આ પછી થડાક વખતમાં મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટ, ડોકટર પિટરસન, મિ. યાજ્ઞિક અને અન્ય પ્રતિષ્ઠિત પુરુષની પ્રેરણાથી શ્રીમદ્દનાં શતાવધાન જેવાને માટે એક મહાન લોકસભા બેલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અસાધારણ શક્તિવાળા યુવકની સ્તુતિ અને કદર લેકેએ અને પત્રવાળાઓએ ઉત્તમ રીતે પ્રદર્શિત કરી. સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈ ત્યાં પોતાની શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી, પણ તેઓ તેમ કરી શક્યા નહીં, કારણકે તેમણે વિચાર્યું કે યુરોપમાં પોતે જૈન ધર્માનુસાર રહી શકે નહીં.”-પાયોનિયર’ (અલાહાબાદ).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org