________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
ધારસીભાઈએ કહ્યુંઃ “હા, ખુશીથી મારે ત્યાં તેમને ઉતારે રાખજે, હું તેમને માટે સર્વ બંદોબસ્ત કરીશ.”
પછી નિશ્ચિત થઈ શ્રીમદ્દ તે કચ્છીભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા. દૂરથી હેમરાજભાઈએ અટકળ કરી કે સામે આવે છે તે રાયચંદ નામને કરે તો નહિ હોય?
નજીક આવ્યા એટલે શ્રીમદે તેમને નામ દઈને બોલાવ્યા “કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ?”
તે બન્નેને વિચાર થયો કે આપણાં નામ એ કયાંથી જાણે છે ? કોઈને આપણે ખબર તે આપી નથી ?
બન્નેએ આશ્ચર્ય પામીને કહ્યું: “તમે જ રાયચંદભાઈ છે કે?”
તેમણે આશ્ચર્યથી પૂછ્યું: “તમે કેમ જાણ્યું કે અમે અત્યારે જ આ જ માર્ગે આવીએ છીએ?”
તેના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું: “આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.”
પછી ધારસીભાઈને ઉતારે ગયા. ત્યાં ધારસીભાઈએ નહાવા, દેવા વગેરેની બધી તજવીજ કરી. કચ્છીભાઈએ મનમાં સમજી ગયા હતા કે આમને આપણે કાશીએ ભણવા લઈ જવા આવ્યા છીએ પણ આટલી શક્તિવાળાને શું ભણવાનું બાકી હશે?
જમી રહ્યા પછી ધારસીભાઈને કચ્છીભાઈઓએ વિનંતી કરી કે અમારે રાયચંદભાઈ સાથે ખાનગી વાત કરવી છે તે એકાંત સ્થળ અમને મળશે ? ત્યારે તેમણે તેવું સ્થાન બતાવ્યું. ત્યાં એકાંત સ્થાનમાં શ્રીમની સાથે તેઓ બેઠા.
પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું, તે જોવા તેમણે વિનંતી કરી, તે શ્રીમદે સ્વીકારી એટલે તેમણે “સંઘપટ્ટક નામના ગ્રંથમાંથી ગાથા તે લેતા આવ્યા હતા, તેના અક્ષરે આડા અવળી શ્રીમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org