SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળt " વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડયું કે તિમિરપટ ટળી ગયું. શુકલધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભિસ્મીભૂત થયાં ! મહાદિવ્ય અને સહસ્ત્ર કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું.” પાંચમી અશુચિ ભાવનામાં સનકુમાર ચક્રવર્તીનું દષ્ટાંત મેક્ષમાળામાં આપ્યું છે તે છે. પ્રમાણ શિક્ષામાં કાયા અશુચિન ભંડાર છે એમ જણાવ્યું છે છતાં મનુષ્યદેહને સર્વ દેહત્તમ કહેવા યોગ્ય છે. તે શાને લીધે ? કે એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે. “મેધાવિ પુરુષો નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેક-બુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવદેહની ઉત્તમતા છે. તો પણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે તે દેહ કેવળ અશુચિમાં તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.” છઠ્ઠી સંસારભાવના વર્ણવી છે, તેમાં સંસારનું સ્વરૂપ જાણું તેમાંથી મુક્ત થયેલા બલશ્રી નામના રાજકુમાર જે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ છે તેમનું ચરિત્ર આપ્યું છે. “એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા લાગ્યા હતા.” “ઉત્તરાધ્યયન શાસ્ત્રીને આધારે આ ચરિત્ર સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાને માર્ગ દર્શાવી ઊંડો વિચાર કરવા પ્રેરે તેવી રીતે વિસ્તારથી લખાયું છે. મહેલમાં રહીને નગરના ચેકમાં એક મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ અને મહા ગુણના ધામ રૂ૫ એક શાંત તપસ્વીને મૃગાપુત્રે જોયા, તે મુનિને નિરખી નિરખીને જોવા લાગ્યા. પછી તે એમ બોલ્યા: “ જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે અને એમ બેલતાં બોલતાં તે કુમાર શર્ભાનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું; ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy