________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો આત્મામાં મુનિપણાની દશા પ્રગટ થાય છે તે વખતે નિમિત્તરૂપે પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણનો વિકલ્પ હોય છે. તેથી તેને નિમિત્તકર્તા પણ કહેવાય છે. શરીરમાં નગ્નદશા થયા વિના આત્મામાં મુનિપણું હોય નહિ એમ નિમિત્તકર્તા તરીકે યથાર્થ છે; પણ એનો અર્થ એવો છે કે આત્મામાં નૈમિત્તિક પર્યાય મુનિપણાની પ્રગટ કરે તો નગ્નતાને નિમિત્તકર્તાપણાનો આરોપ લાગુ પડે છે. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૩૧૫ માં કહ્યું છે કે-મુનિલિંગ ધાર્યા વિના મોક્ષ ત્રણ કાળમાં ન થાય. આત્મા કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરે અને નગ્નદશા ન હોય એમ બને નહિ. માટે મુનિલિંગ વિના મોક્ષ નહિ એમ કહેલ છે; પણ એનો અર્થ એવો નથી કે નગ્નદશાના કારણે મોક્ષ થાય છે.
આત્મામાં ચારિત્રદશા થયા વિના મોક્ષ ન થાય. તે ચારિત્ર તો આત્માના આશ્રયે પ્રગટ થાય છે. આત્માના સ્વભાવને યથાર્થ જાણી એમાં લીન થતાં યથાર્થ ચારિત્ર જીવ પોતે પ્રગટ કરે છે ત્યારે નિમિત્તરૂપે નગ્નદશા હોય છે. એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પરંતુ આત્માના ભાન વિના ખાલી નગ્નદશા ધારણ કરે તેથી કાંઈ મુનિપણું નથી માટે નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.
સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવે જે માર્ગ કહ્યો છે એનાથી વિરૂદ્ધ જેની પ્રરૂપણા છે એને પરંપરા માર્ગ કહેવાય નહિ. એને વ્યવહારમાર્ગની પણ યથાર્થ ખબર નથી. તે મુનિનામ ધરાવી ખાલી નગ્નદશા ધારણ કરે તો તેને મુનિ માનવા તે ભ્રમણા છે. તેનો વિનય સત્કારાદિ કરવાથી ગૃહીત મિથ્યાત્વનું પોષણ થાય છે.
સાગારધર્મામૃતમાં ૮૧ મા પૃષ્ઠ પદટિપ્પણમાં ઉદ્ધત શ્લોકમાં સોમદેવ આચાર્ય કહેલ છે કે જેવી રીતે જિનબિંબ પૂજનિક છે તેવી રીતે પૂર્વ મુનિઓની સ્થાપના કરી આધુનિક મુનિ પણ પૂજ્ય છે. એટલે મુનિનું દ્રવ્યલિંગ તો બહારમાં બરાબર હોવું જોઈએ. એને વ્યવહારથી પૂજનિક કહેલ છે; પણ આત્મજ્ઞાન હોય નહીં અને વ્યવહારમાં પણ ઠેકાણાં ન હોય અને મુનિ માને તો ગૃહીત મિથ્યાષ્ટિ છે. નિશ્ચય મુનિપણું પ્રગટ થયું ન હોય પણ વ્યવહાર તો બરાબર હોવો જોઈએ. તો જ એનો વ્યવહારથી સત્કાર કરવો જોઈએ. જો વ્યવહાર પણ બરાબર ન હોય તો તેને દ્રવ્યલિંગી પણ માનવા ન જોઈએ. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૧૯૪ માં કહ્યું છે કે પદ્મપુરાણમાં એક કથા છે કે કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com