________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો] વ્યવહાર સાધન થયું કહેવાય છે. નિમિત્ત ઉપાદાનનું કામ કરે તો બે સાધન રહેતાં નથી.
નિમિત્ત અને નૈમિત્તિક આત્મા સ્વભાવનું અવલંબન લઈને શુદ્ધતા પ્રગટ કરે તો પંચમહાવ્રતાદિને વ્યવહાર સાધક કહેવાય. ખરેખર તો શુભભાવ બાધક છે. છતાં આત્મા પોતાનું સાધન કરીને શુદ્ધભાવ પ્રગટ કરે તો શુભભાવને નિમિત્તથી સાધક કહેવાય. નિમિત્તે થવા ન દીધું એમ કહ્યું હોય એનો અર્થ એમ છે કે નૈમિત્તિક પોતાની અવસ્થા પ્રગટ ન થઈ તો નિમિત્તે પ્રગટ થવા ન દીધી એમ કહેવાય. ખરેખર તો નિમિત્ત એમ પ્રસિદ્ધ કરે છે કે નૈમિત્તિક સ્વતંત્ર પોતાના કારણથી પરિણમન કરી રહેલ છે. તો ઉપસ્થિત બીજી અનુકૂળ વસ્તુને નિમિત્ત કહેવાય છે. નૈમિત્તિક પર્યાય થાય ત્યારે નિમિત્તમાં કર્તાનો આરોપ આવે છે. તે અપેક્ષાએ કર્મે આવરણ કર્યું એમ કહેલ છે.
હવે દષ્ટાંત આપે છે. આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી દેશચારિત્ર એટલે પાંચમું ગુણસ્થાન પ્રગટ ન થવા દેવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનાવરણ કષાય કહેલ છે. થોડું પણ પ્રત્યાખ્યાન ન થવા દે એટલે કે અંશે પણ સ્થિરતા ન થવા દે તેમાં નિમિત્ત અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે પ્રગટ દશા છે ને કર્મ આવરણ કર્યું છે એમ નથી પણ આત્મા પોતે સ્વભાવની લીનતા કરીને અંશે ચારિત્રની દશા પ્રગટ કરતો નથી એટલે નિમિત્તથી અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ ચારિત્ર પ્રગટ થવા ન દીધું એમ કહેવાય છે.
પ્રશ્નકારે પ્રશ્ન કર્યો હતો કે અમે કેવળજ્ઞાનને પ્રગટ માનીએ છીએ અને કર્મ એને રોકયું છે, કેમ કે કેવળજ્ઞાનાવરણીય કર્મ નામ છે; તો તેને કહે છે કે ભાઈ ! જેમ ચોથે ગુણસ્થાને દેશચારિત્રની દશા નથી ત્યાં અપ્રત્યાખ્યાનાવરણીયકર્મ દેશચારિત્રની પર્યાયને પ્રગટ થવા દેતું નથી એમ કહેવાય છે; પણ ત્યાં દેશચારિત્ર પ્રગટ રૂપે છે અને તેને અપ્રત્યાખ્યાનાવરણીય કર્મ રોકયું છે એમ નથી. આત્મામાં યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય એવો સ્વભાવ તો શક્તિરૂપે ત્રિકાળ છે. તેને પ્રગટ થવા દેતું નથી એમાં નિમિત્તરૂપે કર્મ છે એમ કહેલ છે; નૈમિત્તિકભાવ પોતે પ્રગટ કરતો નથી તો કર્મ ઉપર આરોપ આવે છે. અહીં તો કર્મ નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવે છે, પણ તે નિમિત્તના કારણે આત્માનું દેશચારિત્ર રોકાણું છે એમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com