________________
એક અને શૂન્ય
(સ્વાર્થ અને પરમાર્થની મૌલિક વિચારણા વડે આ લેખ ઝળહળે છે. તેમાં વહેતા ભાવ સાથેનું જોડાણ જીવનના ઉર્દીકરણમાં સહાયભૂત થવા આશા છે. સં.)
એક અને શૂન્ય
એકડાની જમણી બાજુએ જો આપણે મીંડા માંડતા જઈએ તો એકડાની કિંમત દશગણી વધતી જાય છે.
એકડાની જમણી બાજુએ એક મીંડુ મૂકો તો એકના દશ થાય. બે મીંડા મૂકો તો એકના સો થાય. ત્રણ મીંડા મૂકો તો એકના હજાર થાય. આ પ્રમાણે જેમ એક મીંડુ વધારો તેમ દશગણો વધારો તેની કિંમતમાં થાય.
પરંતુ જો એકડાની ડાબી બાજુએ આપણે મીંડા માંડતા જઈએ તો એકડાની કિંમત દસગણી ઓછી થતી જાય છે.
એકડાની ડાબી બાજુએ એક મીંડુ મૂકો તો એકડાનો દશમો ભાગ એક દશાંશ થાય, બે મીંડા મૂકો તો એકડાનો સોમો ભાગ એક શતાંશ થાય. ત્રણ મીંડા મૂકો તો એકડાનો હજારમો ભાગ થાય, આ પ્રમાણે જેમ જેમ ડાબી બાજુએ એક મીંડુ વધારો તેમ તેમ દશગણો ઘટાડો તેની કિંમતમાં થાય.
ગણિતશાસ્ત્રમાં એકડાનું મહત્ત્વ ઘણું છે. મનુષ્યજન્મ એકડા સમાન છે.
પરહિતની પ્રવૃત્તિ એકડાની જમણી બાજુએ મીંડા માંડવા સમાન છે. સર્વનિરપેક્ષ માત્ર પોતાના સ્વાર્થની પ્રવૃત્તિ મનુષ્ય જીવનરૂપી એકડાની ડાબી બાજુએ મીંડા માંડવા સમાન છે.
જેનામાં પરાર્થરસિકતા છે, નિઃસ્વાર્થ ભાવ જે પરોપકારના હિતકાર્યો કરે છે તે પોતાના જીવનની કિંમત વધારે છે.
જેને પરાર્થનો વિચાર સ્પર્શતો નથી, પરહિતની વાત ગમતી નથી અને માત્ર પોતાના સ્વાર્થની પ્રવૃત્તિ ગમે છે તે મનુષ્ય જીવનની કિંમત ઘટાડે છે. માખણ અને ચૂનો
જ્યાં માત્ર પોતાના જ સુખની ચિંતા છે અને માત્ર પોતાના જ દુઃખના નિવારણની ઇચ્છા છે ત્યાં આર્તધ્યાન છે. આર્ત્તધ્યાનથી ભરેલી આપણી મલિન સ્વાર્થવૃત્તિ જેટલે અંશે ટળે તેટલા પ્રમાણમાં જ આપણને ધર્મની પ્રાપ્તિ થઈ શકે.
રાગ-દ્વેષ ટળવાથી જ મુક્તિ મળે છે. જ્યાં સુધી માત્ર પોતાના જ સુખ ઉપર ધર્મ-ચિંતન ૦ ૯૭