________________
મંત્રાધિરાજ શ્રીનવકારની અચિંત્ય શક્તિ શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ
ઉત્કૃષ્ટ મહામંગળ બ્રહ્માંડના સૂક્ષ્મ નિયમો જેમ અચૂકપણે અને અવિરતપણે કાર્ય કરે છે, તેમ સ્થિરતાથી સ્મરણ કરાયેલો શ્રીનમસ્કાર મહામંત્ર પણ પોતાનું ઉત્કૃષ્ટ મંગળ કાર્ય અવિરતપણે કરે છે. શ્રીનંદીસૂત્રમાં જ્ઞાનને જ મંગળ કહ્યું છે. શ્રીપંચનમસ્કાર ઉત્કૃષ્ટ મહામંગળ છે. કેમ કે તે સર્વશ્રેષ્ઠ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનમાં સર્વશિરોમણિભૂત ઉત્કૃષ્ટ મહામંગળરૂપ છે. તેથી એકાન્તિક અને આત્મત્તિક સુખ ઉત્પન્ન થાય છે.
માત્ર ત્રણ જ નવકારદ્વારા એ ઉત્કૃષ્ટ મંગળનો પ્રારંભ થાય છે. ભાવપૂર્વક એકેક પદ બોલતી વખતે તેના અર્થમાં મનને લઈ જવું જોઈએ. પ્રથમ પદ વખતે સમવસરણની સર્વજ્ઞ વાણીમાં તો બીજા પદ વખતે સિદ્ધશિલા પરના આનંદમય એકાંતમાં, ત્રીજે પદે પંચાચારની સુવાસથી છલોછલ ભરેલા નંદનવનમાં તો ચોથા પદે બ્રહ્માંડવિજ્ઞાનના સૂક્ષ્મ સિદ્ધાંતોની સિંધુમસ્તીમાં, પાંચમે પદે પંચમહાવ્રતના આંતરસામર્થ્યના મહામેરુપર મનને વસાવવું જોઈએ. ચૂલિકા બોલતી વખતે માત્ર એક કે થોડા જ નહિ પરંતુ સર્વ પાપોનો એકાન્તિક અને આત્મત્તિક ક્ષય તથા ઉત્કૃષ્ટ મંગળની ગંગોત્રીથી મહાપ્રપાતનું અવતરણ ધ્યાનની વજય પીઠિકા પર થતું અનુભવાવું જોઈએ. આવા ત્રણ જ નવકાર ઉત્કૃષ્ટ મહામંગળ જરૂર લાવી દે. એટલા ભાવથી ત્રણ નવકાર ગણવા જોઈએ કે આંખમાંથી અશ્રુની ધારા ચાલવી જોઈએ. અશ્રુવિનાનો જાપ એ ઘી અને ગોળ વિનાનો માત્ર આટાં અને પાણીનો મોદક છે. તો પણ આંસુ સહિત પૂર્ણ ત્રણ નવકારનો જાપ કરવા માટે લાખો અને ક્રોડ નવકારનો જાપ જરૂરી છે. આંસુ એટલા માટે કે આવો અચિંત્ય ચિંતામણિ નવકાર મળ્યો તેનો હર્ષ અને આજ સુધી મને તેનો ભાવસમાગમ ન થયો તેનો શોક એક સાથે ઉભરાઈ આવે છે.
પ્રયોગદ્વારા પ્રતીતિ પઢમં હેવડું મં«િ 'માં જે “પઢમ' પદ છે, તેનો અર્થ નિરંતર વિસ્તાર પામતું મંગળ છે. વળી ‘હવે ’ શબ્દનો અધ્યાહાર થઈ શકત એટલે તે ન વાપર્યો હોત તો પણ અર્થ સમજાત, છતાં વાપર્યો છે તેનું કારણ એ છે કે નવકારનું મંગળ નિરંતર વિદ્યમાન છે, તે સૂચિત કરવું છે. તમે જાપ કરો કે નહિ, બે હાથ પ્રસારી તમને ગોદમાં લેવા શ્રીનમસ્કાર મંત્રરૂપી માતા નું વાત્સલ્ય જેનું બીજું નામ ઉત્કૃષ્ટ મંગળ છે તે) નિરંતર હયાત છે. તે બતાવવા હવડું !' શબ્દ છે. તો આ ઉત્કૃષ્ટ મંગળ કે જે નિરંતર વિદ્યમાન છે અને જેનું નિરંતર વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે, તેની પ્રયોગો દ્વારા પ્રતીતિ
ધર્મ-ચિંતન ૩૦૯