________________
હીલચાલ શરૂ થશે.
એ હીલચાલ તને વિષય-કષાયને બંધબેસતો થતાં બચાવી લેશે. એ હીલચાલથી હૃદયકમળ વિકસ્વર થતું અનુભવાશે. મનમાં આજ પૂર્વે નહિ અનુભવેલો ઉલ્લાસ અવતરશે.
આખુંય જીવન, દેવાધિદેવની આજ્ઞાના પાલન પાછળ સાર્થક કરવાની જોરદાર ભાવનાનો પ્રાણો ઉપર અધિકાર સ્થપાશે.
એ અધિકારની સ્થાપના સાથે જ મહામોહની સેના પરાજિત થશે. –અને જીવન તારું, પરમમંગલમય ધર્મનું પવિત્ર ધામ બની રહેશે.
. તારો ભાઈ ભાનુ.
ધર્મનું ભાષણ નહિ, પણ અનુભવ
શરીરની મમતા આપણને નથી, ને આપણને ત્રાસ આપનાર તરફ આપણા મનમાં હિંસાનો લવલેશ ખ્યાલ નથી, એ બેની પાકી પરીક્ષા કરવા માટે ઉપસર્ગોની સામા જવું જોઈએ.
સંસારમાં સહુ શરીરની શક્તિનો મહિમા ગાય છે. આપણે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો જોઈએ. દુઃખને આત્માનો ખોરાક બનાવવાથી આત્મા સાજો તાજો રહે છે. શક્તિ કરતાં સત્વ વધુ કિંમતી છે. ' . '
ધર્મ એ વર્તવાની વસ્તુ છે. આચરણમાં ઉતારવાની અને અનુભવવાની વસ્તુ છે. કેવલ બોલી જવાની કે ભાષણ કરી જવાની એ વસ્તુ નથી.
કપરા સંજોગો આવે, ત્યારે શાંતિ આત્માનુભવથી જ આવે. બીજો કોઈ ઈલાજ નથી.
ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ બધા જ રડ્યા છે અને રડે છે. પણ એમાંથી જેને આત્માનુભવ થયો છે, તે જ બચ્યા છે. દુઃખને રડવાથી દુઃખ ફેડાતું નથી. ખરું દુઃખ તો આત્માનુભવથી વંચિત થવું તે જ છે. ખરું સુખ આત્મરમણતામાં છે.
૩૭૦ ૦ ધર્મ-ચિંતન