Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 394
________________ પ. અનિહ્નવ : વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અને દૃઢ અંતઃકરણવાળા થઈને, જમીન ઉપર ઢીંચણ, મસ્તક તથા કરકમલ સ્થાપીને, અંજલિ—પુટ રચીને, મનને સ્થિર કરીને, એકાગ્ર અધ્યવસાય કરીને, અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ, તેમના સંતોષ તથા કૃપાથી મળેલ, સંસાર–સમુદ્રની અંદર નૌકા સમાન, સકલ આગમોમાં વ્યાપીને રહે, મિથ્યાત્વના દોષથી નહિ હણાયેલ, વિશિષ્ટ બુદ્ધિવાળાએ કલ્પેલ, અઘટિત સર્વ હેતુ, યુક્તિ અને દૃષ્ટાંતોનો ધ્વંસ કરવામાં સમર્થ, પાંચ અધ્યયન અને એક ચૂલિકાથી બનેલ, પ્રવર પ્રવચન—દેવોથી અધિષ્ઠિત થયેલ. પંચ મંગલ મહાશ્રુતસ્કંધનું ૬. વ્યંજન : ત્રણ પદ, એક આલાવા, સાત અક્ષર, પ્રમાણવાળું (પહેલું અધ્યયન). ૭. અર્થ : અનંતગમ પર્યાયાર્થોનું પ્રસાધક. ૮. તદુભય : સર્વમહામંત્ર તથા પ્રવરવિદ્યાઓનું ૫૨મ બીજ,—તેનું વિધિ અનુસાર વિનયોપધાન કરવું. જે કોઈ આ વિધિને સ્પર્શે છે અને જરા પણ અતિચરણા કરતો નથી તે પ્રિયધર્મી, દૃઢધર્મી અને એકાંત ભક્તિયુક્ત. સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો અને શ્રદ્ધા સંવેગથી યુક્ત બનેલો તે ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ યંત્રણાઓને વારંવાર પામતો નથી. અગાઉ કહેલ વિનયોપધાન વડે, પંચમંગલમહાશ્રુત સ્કંધને, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે. સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણીને, હૃદયમાં સ્થિર અને પરિચિત કરીને. મહાપ્રબંધ વડે, સૂત્ર તેમ જ અર્થોને જાણવા. પોતે ‘પર’ને હરકતકર્તા બની રહ્યો છે, તેનું યથાર્થ ભાન અને જ્ઞાન— પરહિત પરાયણતાની—ચાવી છે. ધર્મ-ચિંતન ♦ 399

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458