Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 409
________________ ધર્મના રંગે રંગાયેલા બ્રહ્મસેનનાં સ્વજનો વિરાગીઓને વિદાય આપી પાછા વળ્યા. પલ્લીવાસી આબાલવૃદ્ધોને જાણે એક અતિ નિકટના સ્નેહીનો ચિરવિરહ પડતો લાગ્યો. સૌ વળાવી આવ્યા અને સાથે સાથે પોતાના જીવનમાં પણ એ પંથે પ્રયાણ કરવાના મનોરથો લેતા આવ્યા. તે મનોરથોને સફળ બનાવવા નમસ્કાર મહામંત્રના પ્રબળ પ્રવાહણને પણ તેઓએ અપનાવ્યું. પલ્લીની કુટીરે કુટીરે “નમો અરિહંતા, નમો સિદ્ધા....."ના મંગલધ્વનિ ગાજી ઉઠ્યા. પાંચ પુણ્યાત્માઓ એ સંસારની શેતરંજ સમેટી લીધી...સિદ્ધશિલા પર શોભાયમાન થયા...સાથે સાથે જનહૃદયમાં પણ પંચપરમેષ્ઠિના પ્રેમને પૂરતા ગયા. 000 મનનું ધન જે મકાનમાં બહુ જ ધન હોય તે મકાનની તમે કેટલી તકેદારી રાખો? કેવી ચોકી મૂકો? મનના મકાનમાં ધનના ઢેર પડેલા છે, એ તમે જાણો છો? એક એક સદ્વિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ? કોઈ ચોકી મૂકી છે? આપણે ખરેખર ભ્રમણામાં અટવાયા છીએ, તનના મકાનની જ આપણે તકેદારી અને ચોકી રાખીએ છીએ ! કે જે તનમાં હાડકાં, માંસ અને લોહી સિવાય કંઈ નથી...જે ધૂળ સમાન છે. જે આપણને વાસ્તવિક સુખશાન્તિ આપવા સમર્થ નથી. મનના મકાનની રક્ષા કરો. મનનું ધન કોઈ ચોરી ન જાય, સદ્વિચાર ચોરાઈ ન જાય તેની ખરેખરી તકેદારી રાખો, ચોકીદાર બરોબર ગોઠવી દો. સાત્ત્વિક ભાવોને પોષનાર ગ્રંથો, આંતરદૃષ્ટિને ઉઘાડી આપનારા સાધુ પુરુષો, કૃપાસાગર તારક પરમાત્મા..આ બધા ચોકીદારો છે. મનના દ્વારે આમને સ્થાન આપો, તમારું ધન સુરક્ષિત રહેશે. અને એ ધન દ્વારા જ તમે અક્ષય અને અનંત સુખ મેળવશો. - પ.પૂ.પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર.. ૩૨. ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458