________________
સાધનાત્રયી વનવાસી
(અનુભવસિદ્ધ આ લાખણ સાધનામાં સચોટપણે સહાયભૂત થાય તેમ છે. સં.)
(૧) જાપ કરનારા કોઈ કોઈ મિત્રો પૂછે છે, “જાપ ઝટ ફળતા કેમ નથી ?' હું શું જાણું ? હું તો પૂછું. જવાબ મળે તો ધન્યભાગ્ય ! “હં....શું કહ્યું?...હા જી, બોલો, સાંભળું છું.”
ઉતાવળે આંબા પાકતા નથી. નિશ્ચિત સમય અને નિશ્ચિત સંખ્યાનો મેળ બેસાડવા જતાં ગરબડ થઈ છે. એ ના થાય તો આંબો ઉગે પણ ખરો ને પાકે પણ ખરો. ઉચ્ચાર સ્પષ્ટ જોઈએ. ગીત ગાતા હોય તે વખતે જે રીતે બોલાય છે, તેટલી જ સ્પષ્ટતાથી અને એટલી જ ધીમી રીતે જાપ ચાલવા જોઈએ. ગીત ગાવા જેટલો વિલંબ ના કરવો હોય તો કંઈ નહિ, ચાલશે, પણ એક એક પદ સ્પષ્ટ તથા પૂર્ણ હોવું જોઈએ. ચિત્તની પ્રસન્નતાનો પ્રકાશ મુખ ઉપર સ્પષ્ટ દેખાવો જોઈએ. સ્મિતભર્યા ચહેરે, સમયનો ખ્યાલ રાખ્યા વિના જાપ કરો, અવશ્ય ફળશે. સંખ્યા નક્કી કરો પણ તેની સાથે સમયને બાંધશો નહિ. સમય ધારવામાં વાંધો નહિ, પણ જાપને મુખ્ય રાખી સમયને ગૌણ બનાવીને ચાલો. સમય વધી જાય તો ફિકર નહિ, પ્રમાદ નહિ લેવાયો હોય તો વિમાન એના મથક ઉપર તદ્દન સહિસલામત ઉતરશે.”
ધ્યાન, જપ, ઉપાસના આદિ દરમિયાન મન એના સ્વભાવ મુજબ જ્યાં ત્યાં ભટકતું હોય અને કાબૂમાં આવતું ના હોય, તો એને નાથવાના કેટલાક ઉપાયો છે. એમાંનો એક ઉપાય નીચે આલેખ્યો છે. અજમાવી જો જો. સિદ્ધ ઉપાય છે.
સાધ્યનું સાકાર નિરાકાર જે આલંબન હોય એને જાપ કે ધ્યાન ઇત્યાદિના પ્રારંભ પહેલાં ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કહી દેવું -
જુઓ, હવે હું ધ્યાન, જપનો પ્રારંભ કરું છું. તે પહેલાં મારું આ ચંચળ મન છે, તે તમને સોંપ્યું. હા, હવે એ ક્યાંય પણ આડુંઅવળું જાય, તો જવાબદારી તમારી ! મારે હવે એની સાથે કંઈ લેવા-દેવા નથી. હવે તમે જાણો ને તમારું કામ જાણે.” આટલું બોલીને ઉપાસનાનો પ્રારંભ કરી દેવો. સાધ્ય સાથે આત્મીયતા કેળવાઈ
ધર્મ-ચિંતન • ૩૩૧