________________
શ્રીઅમરચંદ્રસૂરિ પદ્માનંદમહાકાવ્યના મંગલાચરણમાં આવો એક ઉપાય આપણને તેની કાવ્યમયી ભાષામાં દર્શાવે છે તે આ પ્રમાણે છે :
सर्वभावा यद्प्रभावाद्गीर्यन्ते जिनैरपि ।
शब्दब्रह्मस्वरूपेयं जयति श्रुतदेवता ॥२८॥ અર્થ –જેના પ્રભાવે જિનેશ્વરો પણ સર્વ ભાવોને કહેવા સમર્થ બને છે, તે આ શબ્દબ્રહ્મસ્વરૂપ શ્રુતદેવતા (સરસ્વતી) જયવંતી વર્તે છે.
ઉપર્યુક્ત પ્રભાવ શબ્દબ્રહ્મનું કારણ અથવા પ્રધાન અવસ્થારૂપ “પર” શબ્દ છે. તેને યોગીઓ કુંડલિની કહે છે અને તેનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન નામથી મળે છે.
સર્વજ્ઞપ્રણીત પિસ્તાલીસ આગમો પૈકી એક આગમ શ્રીમહાનિશીથસૂત્રમાં નિર્દેશ કરાતો શ્રીપંચમંગલમહાશ્રુતસ્કંધનો ભાગ અતિ ઉપયોગી હોવાથી તે વિષય પરત્વે ઉદ્ભવતા વિચારો મુખ્યત્વે અમે રજૂ કર્યા છે.
સામ્ય ગુણનો પ્રભાવ मैत्र्यायिवासनामोद - सुरभीकृतदिङ्मुखम् । पुंमांसं ध्रुवमायान्ति, सिद्धि गांगना स्वयं ॥१॥ યોગશાસ્ત્રમાં ધર્મ ધ્યાનના ઉપકારને માટે ચાર બાબત વર્ણવેલી છે.
મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ, આ ચાર ગુણથી ધર્મધ્યાનનો ઉપકાર થાય છે.
જે પુરુષોમાં આ ચાર ગુણની વાસના હોય, તે પુરુષ યોગનો, યોગવિદ્યાનો અધિકારી થઈ શકે છે. તેવા ગુણની વાસના જે પુરુષમાં હોય, તે જગતને પોતાના ગુણની વાસનાથી સુગંધી કરી મૂકે છે.
એવા યોગીની પાસે સિદ્ધિઓ પોતાની મેળે આવે છે. જેમ સુગંધી પદાર્થ ઉપર ભમરીઓ પોતાની મેળે આવે છે, તેમ મૈત્રી વગેરેની વાસનાથી સુગંધ ફેલાવનારા યોગી પુરુષની પાસે સિદ્ધિઓ સ્વયમેવ ખેંચાઈ આવે છે.
સામ્ય ગુણથી યોગ વિદ્યાના અધિકારી બનેલા પુરુષોને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે, માટે સામ્ય ગુણ સર્વોત્તમ છે.
૩૪૨ - ધર્મ-ચિંતન