________________
જાગતા રેજો
શરણાર્થી (આત્મજાગૃતિપ્રેરક આ લેખ વાંચવા–વિચારવાથી લાભ થાય તેમ છે. સં.)
દેશમાં દુષ્કાળ હોય, લોકોને ખાવા મળતું ન હોય પરિણામ? લૂંટફાટ અને ચોરીનો ભય.
લૂંટફાટ અને ચોરીનો ભય હોય તે વખતે ચોકીદારની ફરજ મોટી, એટલે ચોકીદાર રોન ફરતો જાય અને બૂમ મારતો જાય “જાગતા રેજો.”
શા માટે? કોઈ આવી ઘરમાં ખાતર પાડી માલ-મિલ્કત ચોરી ન જાય, તે માટે.
આ તો થઈ આપણા પૂલ સંસારમય જીવનની વાત. આપણા ભાવાત્મક જીવનમાં નજર નાખવાની હાકલ તો આપણે સાંભળી જ નથી.
થોડા અંતર્મુખ થઈ આપણા ભાવાત્મક જીવન તરફ કોઈ ધન્ય ક્ષણે નજર નાખીએ તો શું જણાય છે ?
કોઈક વખત નહિ, થોડા સમયથી નહિ પરંતુ અનેક ભવોથી આપણા ભાવાત્મક જીવનને, કામ, ક્રોધ, લોભ, માનરૂપી ચોરો લૂંટી રહ્યા છે અને આપણે નિરાંત જીવે ઉંઘીએ છીએ. આમ કેમ ?
કારણ. કામ, ક્રોધ, લોભ, માન વગેરે ચોરો આપણને લૂંટી રહ્યા છે, તેનું આપણને ભાન જ નથી. ત્યારે કરવું શું?
પ્રથમ તો આપણે સાચા હૃદયપૂર્વક આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે “આપણે સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર જીવન જીવવું છે કે સાધના કરી મોક્ષ યા પરમાત્મપદને મેળવવું છે ?
આ પ્રશ્નનો જવાબ આપતાં ઘણો વિચાર કરવાનો રહે છે.
સાધકજીવન જીવવું હશે, તો તો બધા મૂલ્યાંકન જ બદલાવી નાખવા પડશે. સાધના કરવા માટે એ હકીકત આપણા માટે નિશ્ચિત થઈ ગયેલી હોવી જોઈએ કે આત્મા છે અને તે જ આપણા અસ્તિત્વનું મૂળ છે તથા તે જ એક મેળવવા લાયક વસ્તુ છે. આવો પાકો નિર્ણય થયો હશે તો જ સાધનાનો માર્ગ ખુલ્લો થશે. બંધનમાં બંધાયેલો માણસ જ છુટવા માટે પ્રયત્ન કરે. આપણે બંધાયા છીએ તે વાતનું આપણને તીવ્રપણે ભાન થયેલું હોવું જોઈએ અને તેનું ભાન થાય ત્યારે જ સ્વતંત્ર થવાનો પુરુષાર્થ થઈ શકે. સ્વતંત્રતા મેળવવી એટલે પરમાત્માને મેળવવા. પરમાત્માને મેળવવા છે, એટલો નિશ્ચય થઈ ગયા પછી પરમાત્માને મેળવવા શું
૩૫૮ ધર્મ-ચિંતન