________________
હોય, ત્યારે હું પણ નહિ હોઉં !
અગ્નિ અને પાણીનો આ સંવાદ કર્મ અને આત્માની વચ્ચેનો છે. એ બેની વચ્ચે જે દેગ છે, તે વાસનાઓથી ભરેલું મન છે. જે શરીરમાં આત્માને વસવું પડે છે તે શરીરને પણ ‘દેગ'ની ઉપમા આપી શકાય.
અગ્નિને ઠારી નાખવાની પાણીની શક્તિ જેમ સ્વાભાવિક છે, તેમ કર્મરૂપી અગ્નિને બુઝાવવાની આત્માની શક્તિ પણ સહજ છે, સ્વાભાવિક છે. ધાતુની દેગમાં એક નાનું સરખું છિદ્ર જો પડ્યું હોય, તો ધીમે ધીમે મોટું થતું તે નીચેના અગ્નિને બુઝાવી શકે. એજ રીતે, સમ્યગ્દષ્ટિરૂપી એક નાનું સરખું છિદ્ર મનરૂપી દેગમાં જો પડી જાય, તો કર્મ રૂપી અગ્નિને કાળક્રમે બુઝાયે જ છુટકો થાય.
એ છિદ્ર પાડવા માટે છીણી અને હથોડી એ બંનેનું કામ કરનાર એક અદ્ભુત યંત્ર આ વિશ્વમાં હયાત છે. એ યંત્રનું નામ શ્રીનમસ્કાર મહામંત્ર છે.
(૩)
મનુષ્ય માત્ર બુદ્ધિનો ભંડાર છે, પણ તે બીજાઓને માટે ! બીજા લોકોને સલાહ, સૂચના, ને શિખામણ આપવા માટે સૌ કોઈ તત્પર હોય છે ! ઉપદેશ એ એક એવી વસ્તુ છે, જે અન્યને આપવા માટે સૌ કોઈ તૈયાર હોય છે, અન્ય પાસેથી ગ્રહણ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર હોય છે.
રમુજની વાત એ છે, કે અન્યની મુશ્કેલીઓનો માર્ગ કાઢી આપવાની શક્તિ ધરાવતા બુદ્ધિશાળી મહાનુભાવો જ્યારે પોતે જ કોઈ આફતમાં ફસાય છે, ત્યારે તેમની પોતાની બુદ્ધિ તેમના પોતાના ઉપયોગમાં આવતી નથી ! એમને બીજે દોડવું પડે છે !
બીજે ના દોડવું હોય ! પોતાની મુસીબતમાંથી પોતે જ માર્ગ કાઢવો હોય, તો તેનો એક. સિદ્ધ કિમિયો છે. વ્યાકરણ શાસ્ત્રના પહેલા પુરુષ એકવચન “હું” ને ત્રીજા પુરુષ એકવચન “તે”માં પલટાવી નાંખો. બસ, આટલું કરી શકશો, તો બેડો પાર.
દૃષ્ટાંત તરીકે તમારું નામ દીનાનાથ હોય અને તમે પોતે કોઈ મુંઝવણમાં આવી પડ્યા હો, તો થોડા સમય માટે આફતમાં આવી પડેલો દીનાનાથ ‘હું' છું તે ભૂલી જાઓ, એને બદલે આફતમાં આવેલો પેલો બિચારો દીનુ ‘તે' છે, એમ માનીને એ બિચારા દીનુને મદદ કેવી રીતે કરી શકાય એનો વિચાર કરવા લાગો. પહેલા પુરુષ એકવચનમાંથી ત્રીજા પુરુષ એકવચનમાં તમારી જાતને તમે પલટાવી શકશો, તો એનું પરિણામ સચોટ આવશે. અખતરો કરી જોજો.
(૪)
શ્રીનમસ્કાર મહામંત્રના એક જ અક્ષરના રટણથી નિમિષમાત્રમાં અનંતા ભવનાં
ધર્મ-ચિંતન ૦ ૩૨૯