________________
* આ શુભ વિચારમાં જે “શત્રુ' શબ્દનો ઉલ્લેખ છે, તે ખૂબ સમજવા જેવો છે.
મિત્રો અને સ્વજન-કુટુંબીઓ–પ્રત્યે ક્ષમાવૃત્તિને ધારણ કરવામાં વિશેષ મહત્તા નથી. એ તો એક આવશ્યક કર્તવ્ય છે. એ કર્તવ્યના પાલન દ્વારા ક્ષમાવૃત્તિને ખીલવવાની શુભ શરૂઆત કરી શકાય છે. પરંતુ દુશ્મન પ્રત્યે પણ ક્ષમાવૃત્તિ રાખવી, એમાં જ ખરી મહત્તા છે.
જેમણે આપણું વધારેમાં વધારે બૂરું કે અહિત કર્યું હોય, તેમને ક્ષમા આપી દેવી અને તે પણ અંતઃકરણમાં કોઈ જાતનો રોષ રાખ્યા વિના જ, પૂર્ણ પ્રેમભાવપૂર્વક એમને ક્ષમા કરવી, એ સૌથી વધારે મહત્ત્વનું છે.
પરંતુ, એથીયે વિશેષ મહત્ત્વનું અને સાર્વભૌમ આવશ્યક કાર્ય તો ક્ષમા માંગી લેવાનું છે.
“ક્ષમ વીરસ્ય ભૂષણમ્' એમ જે કહેવામાં આવ્યું છે, એનો અર્થો અર્થ બધા સમજે છે. પણ એનો બાકીનો અર્ધો અર્થ લક્ષ્યમાં લેવાતો નથી. સાધારણ રીતે, આમવર્ગમાં કોઈને, એ વાક્યનો અર્થ પૂછશો, તો તે કહેશે કે “ક્ષમા આપવી એ વીરનરનું ભૂષણ છે.” પરંતુ, ક્ષમા માગવી એ વીરનરનું ભૂષણ છે.” એવો અર્થ ભાગ્યે જ કોઈ કરશે.
ક્ષમા આપવામાં વીરતા' જરૂર છે, પરંતુ, ક્ષમા માગવામાં જે “વીરતા' છે, એની તોલે જગતનું બીજું કોઈ પણ શૌર્ય આવી શકે તેમ નથી.
આ વાત ખૂબ સમજવા જેવી છે.
મનુષ્યના લોકોત્તર વિકાસમાં આડે આવનારી એક મહા પ્રબળ શત્રુ, એનો અહંભાવ છે. આ અહંભાવ જરા પણ ઘવાય, તો માણસના મનમાં ભારે મોટી ઉથલપાથલ મચી જાય છે.
આપણે જ્યારે અન્યને ક્ષમા આપીએ છીએ, ત્યારે એમાં આપણા આ અહંભાવનું પોષણ થાય છે. પરંતુ, ક્ષમા માગવાનો પ્રસંગ જયારે આવે, ત્યારે અહંભાવને દુઃખ પહોંચાડ્યા વિના આપણે એક કદમ પણ આગળ નહિ ઉઠાવી શકીએ.
અહંભાવનું વિસર્જન કરવાની આપણામાં શક્તિ હશે, તો જ આપણે ક્ષમા માગવાના પંથે આગળ વધી શકીશું.
આ “અહંભાવ” એ આત્માનો અને આપણો પોતાનો મોટામાં મોટો શત્રુ છે. એની ઉપર પૂર્ણ કાબૂ મેળવ્યા વિના પ્રગતિ, વિકાસ કે ઉદ્ધાર અશક્ય જ છે.
શાસ્ત્રોમાં જે ક્ષમાપનાભાવનાં ગુણગાન ગાવામાં આવ્યા છે, તે ક્ષમાભાવમાં અહંભાવનું મર્દન, એ અત્યંત મહત્ત્વની બાબત છે. ક્ષમા શબ્દનો સાચો અર્થ કેવળ ક્ષમા આપવામાં જ નહિ, બલ્વે ક્ષમા માગવામાં સમાયેલો છે.
ધર્મ-ચિંતન • ૨૬૩