________________
ઓળખી તેનું સ્મરણ રહે તે માટે કપાળ ઉપર લગાવવામાં આવે છે. ચાંદલો પીળા રંગનો હોય છે, એ આત્માના પ્રતીક તરીકે હોય છે. આત્મજાગૃતિ અને આત્માની ઓળખાણ રહે, તેનું એ બોધચિહ્ન છે.
ભગવાન્ વિષ્ણુને જ સર્વસ્વ માનનારા વૈષ્ણવધર્મીઓ બે સફેદ લીટીઓની વચ્ચે એક લાલ લીટી દોરી કપાળ ઉપર ઊભું ચિત્ર દોરે છે. એ ચિહ્નમાં સફેદ રંગ એ ચેતન આત્માનું ચિહ્ન છે અને વચમાં લાલ લીટી છે, તે માયા એટલે પૂલરૂપનું ચિહ્ન હોય છે. આત્મા એ નિર્ગુણ, નિરાકાર, વર્ણરહિત છે. પણ એ બતાવવા માટે અને એનો બોધ થવા માટે સફેદ રંગની યોજના છે અને માયાનો લાલ રંગ એટલા માટે યોજવામાં આવે છે કે, આત્માને વ્યક્ત થવાનું સાધન માયા જ છે, તેથી તે લાલ રંગથી પ્રદર્શિત કરવામાં આવે છે. આત્મા અથવા ચૈતન્યને પ્રગટ થવાને સાધન આપણું આ જડ શરીર જ છે. આત્માઓ અનંત ભેગા રહે છે, પણ તે જોઈ શકાતા નથી. પણ જ્યારે એ સ્કૂલ જડ શરીર ધારણ કરે છે, ત્યારે જ તેનો આવિષ્કાર થાય છે અને આંગળીવડે તે બતાવી શકાય છે. આ વિશ્વ, બ્રહ્મ અને માયાના યોગને લીધે જ પ્રતીત થાય છે, તેથી જ એ સફેદ અને લાલ ચિહ્નથી બતાવવામાં આવે છે.
કોઈ ઊભો ચાંદલો નહીં કરતાં આડો ત્રણ રેષાવાળો ચાંદલો લગાવી પોતાની ધર્મશ્રદ્ધા વ્યક્ત કરે છે. એમાં એ ત્રણ રેષાઓ સત્ત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણોને બતાવે છે અને તેમાં જગત એ ત્રિગુણાત્મક છે, એનું ભાન કરાવે છે. અથવા આત્મા જ્યારે મુક્ત થાય છે, ત્યારે સત-ચિત્ અને આનંદની અવસ્થામાં સ્થિત થઈ રહે છે. એના પ્રતીક તરીકે ત્રિપુંડ્ર હોય છે.
કેટલાએક ધર્મવાળાઓ ફક્ત એક કાળીઊભી લીટી કપાળમાં દોરી પોતાનું બોધચિહ્ન પ્રગટ કરે છે. એમાં એમનો ઉદ્દેશ આત્મા અભાવરૂપે “નેતિ નેતિ' એટલે ન+ઇતિ, અર્થાત્ જેનું વર્ણન થઈ શકે જ નહીં એવો છે, એથી બધા રંગના અભાવરૂપે કાળી લીટી બતાવવામાં આવે છે. મતલબ કે એ ચિહ્ન આત્માનું સ્વરૂપ પ્રદર્શિત કરવા માટે જ છે અને પોતે દેહ નહીં પણ આત્મા છે, ચૈતન્યરૂપ છે, એનું સ્મરણ રહે તે માટે એ ચિત્ર બતાવવામાં આવે છે.
કોઈ લોકો કુંકુમનું લાલ તિલક પોતાના કપાળે લગાવી એવું પ્રદર્શિત કરે છે કે, હે પ્રભો ! અમે માયા–મોહના વમળમાં સપડાયેલા છીએ. અમને હજુ સાચો માર્ગ જડ્યો નથી. માટે હે પ્રભો ! તું અમને સાચો માર્ગ બતાવ, એવી પ્રાર્થનારૂપ એ ચિહ્ન છે. મતલબ કે, આત્મા છે અને એ કર્મથી બદ્ધ છે. તેથી તે છૂટવા–મુક્ત થવા પ્રાર્થના કરે છે.
શંકરને પોતાનું સર્વસ્વ માનનારાઓ એટલે શૈવ લોકો માથે આડું ભસ્મ લગાવે
૨૮૨૯ ધર્મ-ચિંતન