________________
સર્વપાપપ્રણાશક નવકાર
પરિણામને અમૃતનો અભિષેક કરનારા શાશ્વતમંત્ર શ્રીનવકારને ભેટતી વખતે, મારા સર્વ પાપો ધોવાઈ રહ્યાં છે અને પુણ્યનું મંગલ પ્રભાત ઉઘડી રહ્યું છે એવો ભાવ આરાધકને સ્પર્શવો જોઈએ.
શ્રીનવકાર બરાબર લાગુ પડ્યાની એ નિશાની છે.
શ્રીનવકાર બરાબર લાગુ પડે છે એટલે તેના જાપ સમયે, આજ સુધીમાં પોતે કરેલા તિરસ્કારનો પશ્ચાત્તાપ, અશ્રુરૂપે બહાર આવતો જાય છે.
અશ્રુના એ એક એક બિંદુમાં પાપના પર્વતોને ઓગાળી નાખવાની તાકાત હોય છે. શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞાના તિરસ્કારના ફળ તરીકે જીવનો, જગતમાં જ્યાં-ત્યાં અનેક પ્રકારે તિરસ્કાર થતો હોય છે.
પોતાને જ્યારે પણ એવા તિરસ્કારનો અનુભવ થાય ત્યારે વિવેકી સાધક જરા પણ અકળાયા સિવાય એમ વિચારે કે, ‘ત્રિભુવનપતિની આજ્ઞાની મેં પૂર્વે કરેલી અવગણનાનું આ પરિણામ છે.’
જીવનો દ્વેષ કરવો એ જીવનો સ્વભાવ નથી. એ સત્ય ત્રિવિધ નમસ્કારના પ્રભાવે હૃદયગત થાય છે.
જે પુણ્યશાળીઓને એ સત્ય સ્પર્શે છે તેઓ પોતા પ્રત્યેના તિરસ્કારમય વાતાવરણ વચ્ચે પણ અડોલ રહે છે. સર્વોતમભાવસંલગ્નતા જાળવે છે.
સર્વથા તિરસ્ક૨ણીય એવી તિરસ્કારવૃત્તિને ટાળવાનો ‘નમસ્કાર’ એ સિદ્ધ ઉપાય છે. જીવને સઘળી સાનુકૂળતાઓથી દૂર રાખનારા જીવો પ્રત્યેના તિરસ્કારનાં પરિણામથી પર બનાવનારા શ્રીનવકારને ભાવ આપવામાં જરા પણ કચાશ રાખવી તે ચારગતિનાં ભયાનક દુઃખો પ્રત્યેનો પક્ષપાત છે.
નમસ્કારમાં મન પહેલું મૂકો, પછી વચન અને તે પછી કાયા.
અને તે પછી તરત સ્પર્શે છે પરિણામની પવિત્રતા. પરિણામની પવિત્રતાના સ્પર્શ સમયે ઉલ્લાસનો જે આંચકો અનુભવાય છે તેમાં જગતના બધા જીવોના હિતની શક્તિ હોય છે. અથવા એમ પણ કહી શકાય કે તે આંચકો મહાકરુણા સાથેના પ્રત્યક્ષ જોડાણરૂપ બની રહે છે. કારણ કે જોડાણ પૂર્વે આંચકો આવે તે આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ. અને તે પછી ખેંચાણનો અનુભવ થતો હોય છે.
નમસ્કારના આરાધકને ખેંચાણ સિદ્ધશિલાનું જ હોય. તે જેમ જેમ તે દિશામાં ખેંચાતો જાય—નમતો જાય, તેમ તેમ ત્રણ જગતના બધા જીવો પ્રત્યેનો તેનો (આત્મ)
૧૬૬ ૦ ધર્મ-ચિંતન