________________
એવી ગતિમાં સહાયક બનવાના “ધર્મઆરાધક મનોરથ હોય છે ભાવના હોય છે. તે ભાવનાનું સ્પષ્ટ શબ્દ-ચિત્ર નીચે પ્રમાણે છે :
(૧) શ્રી તીર્થંકરદેવો, તેમનો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ અને તે ધર્મને પાળનાર ચતુર્વિધ શ્રીસંઘ વિશ્વકલ્યાણભાવથી ભરેલાં છે એવી જાણ વર્તમાન વિશ્વને થાઓ. અને તે ત્રણે ઉપર આદરવાળું બનો.
(૨) એ માટે વર્તમાન શ્રીચતુર્વિધ સંઘમાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે અવિહડ ભક્તિરાગ પેદા થાઓ.
(૩) એ માટે શ્રીસંઘમાં મૈત્રાદિ ભાવો વિકસો.
(૪) મૈત્યાદિ ભાવોના વિકાસ માટે શુભભાવોની વિશ્વસંચાલકશક્તિ ઉપર તે દઢ વિશ્વાસવાળો બનો.
(૫) એ વિશ્વાસ સુદઢ કરનારો ઉપદેશ વર્તમાન શાસ્ત્રજ્ઞ ગીતાર્થ ભગવંતો આપો.
આ ભાવનાને ત્રણ કાળના, ત્રણ જગતના ધર્મપરાયણ આત્માઓની અનુમોદનાનું અમાપ બળ પ્રાપ્ત થાઓ !
આ ભાવનાને સાર્થક કરવામાં સહાયભૂત થવાની પ્રભુશાસનને પામેલા પ્રત્યેક પુણ્યશાળી આત્માને નમ્ર વિનંતી છે.
આ ભાવનાના જયમાં ચારગતિમાં દુઃખો સિવાય કોઈનો પરાજય નથી.
આ ભાવનાના જયમાં જીવમાત્રના હિતનું જતન છે. એમ ગંભીરપણે વિચારતાં સમજાય છે.
વિશ્વને, સર્વકલ્યાણના કારણરૂપ પ્રભુશાસનની જાણ કરવાનારા મંત્રાધિરાજ. શ્રીનવકાર સાથેના ત્રિવિધ જોડાણમાં ભાગ્યશાળીઓને અપૂર્વ નિષ્ઠા પ્રગટો !
શ્રીનવકાર સાથેના ત્રિવિધ જોડાણને સુદઢ બનાવનારા ધર્મમય આચારમાં પુણ્યશાળીઓ અપૂર્વ ઉલટવાળા બનો !
સર્વજીવહિતકર કરણાની અચિંત્ય શક્તિની આરાધનામાં ભવ્યાત્માઓની સઘળી આંતર-બાહ્ય શક્તિ અને સામગ્રી સાર્થક થાઓ !
લોકમાં સર્વકલ્યાણના મહાપર્વનો સવેળા ઉદય થાઓ !
૨૩૪ ૦ ધર્મ-ચિંતન