________________
ચિત્તશુદ્ધિ
ઘરનું આંગણું ચોખ્ખું થાય તે પછી ત્યાં મનોહર રંગોળી પૂરી શકાય. રંગોળી પૂરવાની ક્રિયા જેમ આંગણાની શુદ્ધિ માગે છે, તેમ ધર્મક્રિયા ચિત્તશુદ્ધિ માગી લે છે.
ધોએલા વસ્ત્ર ઉપર રંગ સારો બેસે છે, તેમ શુદ્ધ ચિત્તમાં સમ્યક્ ક્રિયાનો શુભસંસ્કાર ઊંડે સુધી પરિણમે છે.
આવી ચિત્તશુદ્ધિ હવા પાણી જેટલી સુલભ નથી તે હકીકત છે અને તેથી જ તેનું મૂલ્ય તેમ જ મહત્ત્વ અસાધારણ છે.
પરિણામ ઊંચા રાખવાની ઉપકારી ભગવંતોની હિતશિક્ષાનું પાલન ચિત્ત શુદ્ધ હોય છે તો વધુ સંગીન રીતે થઈ શકે છે.
જે ચિત્ત, જગતના જીવોના અહિતની વૃત્તિથી ખરડાયેલું ન રહેતું હોય તેને શુદ્ધચિત્ત કહી શકાય.
જે ચિત્તમાં શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોની આજ્ઞામાં પૂરેપૂરા પરોવાઈ જવાની ભાવના ઉછાળા મારી રહી હોય તેને શુદ્ધ ચિત્ત કહી શકાય.
જે ચિત્તમાં ઇન્દ્રિયોના વિષયોનું જોર ન ચાલતું હોય તે ચિત્ત શુદ્ધ કહેવાય.
જે ચિત્ત કષાયને કબજે ન થાય અથવા તો જેને હડપવા જતાં ક્રોધ–માનાદિ કષાયો મહાત થઈ જાય તે ચિત્ત પણ શુદ્ધ કહેવાય.
જે ચિત્તમાં પરમાત્માના ગુણોનું ધ્યાન ચાલતું હોય તે પણ શુદ્ધ ચિત્ત કહેવાય. આત્મસ્વભાવના જ પક્ષમાં રહેવાની વૃત્તિ જ્યાં જોર કરતી હોય,તે ચિત્ત પણ
શુદ્ધ કહેવાય.
બહિર્ભાવ અને દુર્ભાવને અડતાં વેંત પોતાને ન વર્ણવી શકાય તેવા બોજ અને અસ્વસ્થતાનો અનુભવ થાય એવા ચિત્તને પણ શુદ્ધ ચિત્ત કહી શકાય.
આવી ચિત્તશુદ્ધિમાંથી પરિપૂર્ણ ચિત્ત શુદ્ધિ તેમ જ ધ્યાનયોગની લાયકાત પ્રગટે છે.
આવું ચિત્ત શ્રીનવકા૨ની સતત ચોકી તળે તૈયાર થાય છે અને તે પછી તેમાં શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોનો ઉપકારક બોધ બરાબર ઝીલાય છે તેનું જ પરિણત થાય છે.
પરિણત થયેલા બોધના પ્રભુત્વ તળે પોતાના પ્રાણો આવી જાય છે એટલે શ્રીજિનાજ્ઞાની વિરાધનાથી બચવાની તેમ જ વિશ્વઋણ ચૂકવવાની જીવની પાત્રતાનો ' વિકાસ વેગ ધારણ કરે છે.
૨૪૮ ૦ ધર્મ-ચિંતન