________________
દેવાધિદેવના સર્વોચ્ચ આત્મદ્રવ્યનો સર્વોત્તમ નિર્મળ ભાવ, તેઓશ્રીની આજ્ઞામાં વહી રહ્યો છે.
તે આજ્ઞાની આરાધના કરનારો આત્મા જગતના બધા જીવોના હિતનો મિત્ર બને છે. કારણ કે આરાધનાજન્ય શુભ ભાવ, સ્વભાવે સર્વજીવહિતકર છે.
શ્રીઅરિહંતપરમાત્માની આજ્ઞા મુજબની પ્રત્યેક ક્રિયામાં વિશ્વહિતકરક્ષમતા
રહેલી છે.
વૃક્ષારોપણ જેવી સ્થૂલ ક્રિયા તેના રોપનારા ઉપરાંત અનેક પ્રવાસીઓને છાયા ઢોળવારૂપે લાભ આપે છે.
કૂવો ખોદવાની ક્રિયા, તેને ખોદાવનારા માનવી ઉપરાંત અનેકની તૃષા શમે છે.
તો પછી આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરનારી આજ્ઞામૂલક ક્રિયા વિશ્વહિતમાં પરિણમે તેમાં કશી નવાઈ ન ગણાય.
આજ્ઞામાં રહેવું એટલે આત્મભાવમાં રહેવું, તે ભાવને ઉદ્દીપન કરનારા ને ટકાવનારા તપ-જપ, વ્રત-નિયમ, પૂજા-પ્રતિક્રમણ, સામાયિક-પૌષધ વગેરેને હૃદયપૂર્વક સમર્પિત થવું.
આજ્ઞામાં રહેવું એટલે પ્રમાદને સમયવાર પણ ભાવ ન આપવો તે. પ્રમાદની પગચંપી ન કરવી તે.
પ્રમાદ ત્યારે જાય. જ્યારે ધર્મધ્યાનમાં સ્થિર કરનારી આજ્ઞામૂલક ધર્મક્રિયાને સમર્પિત થવાય. સમર્પિત થતી વખતે પોતે માત્ર પોતાના જ હિતની ક્રિયાને સમર્પિત થઈ રહ્યો છે એવો સ્કૂલ ભાવ રહે તેના કરતાં પોતે ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતકર આજ્ઞાને સમર્પિત થઈ રહ્યો.છે એવો ભાવ રહે તો તે આજ્ઞાને પાળવાનાં આંતર્-પિરણામ ખૂબ જ ઊંચા અને પવિત્ર બનતાં જાય.
આજ્ઞાની આરાધના આજ્ઞાસ્વરૂપ બનાવે.
આજ્ઞાની વિરાધના ચારગતિમાં રઝળાવે.
૨૩૦ ૭ ધર્મ-ચિંતન