________________
આજ્ઞાની આરાધના
આજ્ઞાયોગ એટલે વિશ્વયોગ.
આજ્ઞાદ્રોહ એટલે વિશ્વદ્રોહ.
એટલે તેની આરાધના અને વિરાધનાના પરિણામ વચ્ચે તથાપ્રકારનું ગજબ અંતર જ્ઞાની ભગવંતોએ જોયું છે તેમ જ પ્રરૂપ્યું છે.
આજ્ઞા કરનાર કોણ છે અને તેમના કયા ભાવમાંથી તે સહજપણે સાકાર બની છે તેનું તેના આરાધકના આધ્યાત્મિક વિકાસમાં ખાસ મહત્ત્વ છે.
દેવાધિદેવની આજ્ઞાની આરાધનાથી આરાધકમાં આત્મભાવ જાગે છે, દુર્ભાવ ઘટે છે, અહંભાવ ઓગળે છે, નમસ્કારભાવ ખીલે છે.
જાય.
દેવાદિદેવની આજ્ઞામાં જગતના બધા જીવોના કલ્યાણનો સર્વોચ્ચ ભાવ હોય છે. રાજાની આજ્ઞા પાળવાથી જેટલા પ્રદેશ ઉપર તેનું શાસન ચાલતું હોય છે તેમાં રહેનારા પ્રજાજનોનું હિત થાય છે તેમ ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞા બરાબર પાળવાથી ત્રિભુવનમાં રહેલા બધા જીવોના હિતને ભાવ અપાય છે.
નમ્ર અને વિનયી શિષ્યમાં પોતાના ગુરુદેવની સમગ્ર આંતપ્રતિભા સાકાર થાય તેમ જાગ્રત અને વિવેકી આરાધકમાં દેવાધિદેવની આજ્ઞાનો સર્વજીવહિતકર ભાવ ધીમેધીમે છતાં ચોક્કસપણે પ્રગટતો જાય.
દેવાધિદેવની આજ્ઞાનું રહસ્ય એટલે—
‘સ્વ’ (પોતા)નો ઇન્કાર અને ‘સર્વ’નો સ્વીકાર.
શ્રીનવકારની આરાધના દ્વારા સ્વ (પોતા)ને નકારવાનાં પવિત્ર પરિણામ પ્રગટે.
સામાયિક દ્વારા ‘સર્વ’નો હૃદયપૂર્વકનો સ્વીકાર થાય.
નમસ્કારભાવ દ્વારા અહંભાવ ઓગળે તેમ-તેમ આજ્ઞાના રહસ્યનો સ્પર્શ થતો
સામાયિકભાવમાં ‘સ્વ' (પોતા)નું સ્થાન ‘સર્વ' લે. સર્વજીવહિતપરાયણતા સ્વાભાવિક બનતી જાય. મનનાં પરિણામ પ્રભુજીની આજ્ઞાની ઉજળી દિશામાં ઝૂકેલાં રહે. તે પરિણામના કોઈ પ્રદેશમાં અહંભાવ ભળે એટલે સામાયિક ભાવ તરત ઝાંખો
૨૨૮ ૭ ધર્મ-ચિંતન