________________
આજ્ઞાપાલન આપણો ધર્મ
પરિણામનું પોત સદાય પવિત્ર રહે, તેને કષાયનો કોઢિયો રંગ ન અડે, વિષયના વસમાં વાયરા ન નડે તે ખાતર આપણે ત્રિભુવનપતિની તારક આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
આજ્ઞાનું ત્રિવિધ પાલન કરવાથી આજ્ઞાકાર ભગવંતની સર્વોચ્ચ તારકશક્તિની વધુ નજીક જઈ શકાય છે.
આજ્ઞાનું પાલન કરવાથી ભીતરમાં જે શક્તિ પેદા થાય છે, તેના વડે સમતાભાવમાં રહી શકાય છે.
આજ્ઞાનું પાલન કરવાથી ભવના ભીષણ માર્ગે ચાલતાં નડતા અંતરાયોને આસાનીથી આંબી શકાય છે.
આજ્ઞાનું પાલન કરવાથી પાપપ્રતિકારશક્તિ પૂરજોસમાં પ્રગટ થાય છે.
દેવાધિદેવની આજ્ઞાના પાલન માટે અંતરનો ઉલ્લાસ જોઈએ, મનની પ્રસન્નતા જોઈએ, ઇન્દ્રિયોનો સાથ જોઈએ, સમગ્ર દેહની તત્પરતા જોઈએ.
આજ્ઞા સાથેનો ઉપલક સંબંધ આપણું હૃદય ક્યાંય બીજે રમી રહ્યું હોવાનું સૂચન કરે છે.
નમસ્કાર દ્વારા પોતાની ઇચ્છા સુદ્ધાનું, ત્રિભુવનપતિની સર્વકલ્યાણકર આજ્ઞામાં વિસર્જન કરવાનું મહાસત્ત્વ આપણામાં જાગવું જોઈએ.
શૂરો સૈનિક સેનાપતિની આજ્ઞા માટે તલસતો હોય છે. | વિનયી શિષ્ય ગુરુની આજ્ઞા માટે વલવલતો હોય છે. આજ્ઞાને પાત્ર બનવું એ જેવી તેવી પાત્રતા ન ગણાય.
પોતે કોનો દાસ છે અથવા કોણ પોતાના નાથ છે, તત્સંબંધી ગંભીર વિચારણાના પરિણામે પોતામાં જે જોમ પ્રગટે છે તે ઘણા અંશે આજ્ઞાકાર ભગવંતની ભાવનાનું અંગ બનીને લોકમાં અદ્ભુત સુવાસ ફેલાવતું થાય છે.
હું મહારાણા પ્રતાપનો વંશ જ છું,’ એટલા જ માનસિક સ્મરણ સાથે અનેક રાજપુતો સૂતેલા ક્ષાત્રતેજને દીપાવી ગયા છે, મહાસતી સીતાજીના સ્મરણનું આલંબન લઈને અનેક નારીઓ પોતાના શીલને હેમખેમ સાચવવાનું સત્ત્વ ખીલવી શકી છે, તેમ ‘હું ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માનો દાસ છું,' એ પ્રકારના ચિંતન સાથે ધર્મ
ધર્મ-ચિંતન ૧૭૧