________________
વધારે.
અનુપમ આરાધના
પુણ્યાનુબંધી પુણ્ય વડલા જેવું હોય છે.
એ વધતું જાય તેમ તેમ આસપાસના અનેક જીવોની અશાતા ઘટાડે, શાતા
નથી.
એવું ઊંચું પુણ્ય બંધાય ક્યારે ?
ઊંચા ભાવપૂર્વકની આરાધનાના અનુપમ પ્રભાવે એવું ઊંચું પુણ્ય બંધાય છે. ઊંચા ભાવપૂર્વકની આરાધના એટલે શું ?
ઊંચા ભાવને આવરીને રહેલા સહજમળના હ્રાસના લક્ષ્યપૂર્વકની આરાધના. સહજમળ એટલે શું ?
જેના યોગે જીવ પાપમાં એકાએક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે તે મહામોહ. સહજમળનો હ્રાસ થાય તેમ તેમ જીવના સહજ તથાભવ્યત્વનો વિકાસ થાય. સહજ તથાભવ્યત્વ એટલે શું ?
જીવની મુક્તિગમનયોગ્યતા.
મુક્તિમાં ન જઈએ અને સંસારમાં રહીએ તો શો વાંધો ?
વાંધો એ કે મુક્તિમાં જવાની આત્માની યોગ્યતાનું હડહડતું અપમાન થાય.
એક યોગ્ય આત્મા પોતાને યોગ્ય સ્થાનને ન પામે ત્યાં સુધી બીજો એક યોગ્ય આત્મા પોતાની મુક્તિ કૂચનો પ્રારંભ કરી શકતો નથી.
બીજા યોગ્ય આત્માના કલ્યાણની દૃષ્ટિએ પણ આપણે આપણા આત્માની મુક્તિગમન યોગ્યતાને વિકસાવવી જોઈએ. તે તો જ વિકસે જો જીવને લાગેલા સહજમળનો ઝડપી હ્રાસ થાય.
સહજમળના હ્રાસનું તે મહાકાર્ય મહાશક્તિની અપેક્ષા રાખે છે.
મહાશક્તિની આરાધના સિવાય મહાકાર્યો થયાં નથી, થતાં નથી તેમ જ થવાનાં
દેવાધિદેવની મહાકરુણાથી અધિક ચઢીયાતી બીજી ‘મહાશક્તિ’ ત્રણલોકમાં હતી
૨૧૮ ૦ ધર્મ-ચિંતન