________________
રાગ છે અને માત્ર પોતાના જ દુઃખ ઉપર દ્વેષ છે ત્યાં સુધી કષાય ટળે નહિ અને મુક્તિ મળે નહિ.
માત્ર પોતાના જ સુખ ઉપરનો રાગ અને માત્ર પોતાના જ દુઃખ ઉપરનો દ્વેષ દૂર કરવા માટે ધર્મના અર્થીએ પરાર્થકારિતા કેળવવી જોઈએ. સર્વજીવોને માટે શ્રેષ્ઠ સુખ ઇચ્છવું જોઈએ.
સર્વ નિરપેક્ષ માત્ર પોતાનો વિચાર, નિકૃષ્ટ સ્વાર્થવૃત્તિ સર્વ પાપોનું મૂળ છે. માત્ર પોતાના જ માટેના ભૌતિક સુખની ઝંખનામાં ગળાડૂબ રહેવું એ આર્તધ્યાન છે.
એક વાટકીમાં માખણ પડ્યું હોય અને બીજી વાટકીમાં પાનમાં ખાવાનો ચૂનો પડ્યો હોય, તો માખણનો પીંડ અને ચૂનાનો પીંડ જોવામાં સરખા જણાય પરંતુ બન્નેના ગુણદોષમાં કેટલો ફરક છે તે આપણે જાણીએ છીએ.
માખણ ખાનાર મનુષ્યના શરીરનું પોષણ થાય છે. ભૂલથી પણ ચૂનાનો પીંડી ખાનારને પારાવાર હાનિ થાય છે.
માખણની જેમ સર્વ જીવોનો હિતભાવ મનને તથા આત્માને પોષણ આપે છે અને સ્વાર્થભાવનો ચૂનો જીવનનો નાશ કરે છે.
માત્ર પોતાના ભૌતિક સુખની લાલચથી કે દુઃખના ભયથી થતી પ્રવૃત્તિને ભલે આપણે અહિંસા, ક્ષમા, તપ, જપ કે સંયમના નામથી ઓળખાવીએ તો પણ તત્ત્વતઃ તો એ આર્તધ્યાનની જ પ્રવૃત્તિ રહે છે.
અહિંસા, ક્ષમા, તપ, જપ કે સંયમની દરેક પ્રવૃત્તિ પાછળ સર્વસત્ત્વહિતાશયની ભાવના, પરાર્થકારિતા જીવંત હોવી જોઈએ.
અમે અનાદિકાળથી નિકૃષ્ટ સ્વાર્થવૃત્તિને સેવી છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાયાં છે. પરાર્થભાવ વડે જાણે અમારું સર્વ કાંઈ લૂંટાઈ જશે એવો ભય અમને થાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પાયામાં સકળ જીવરાશિના હિતનો ભાવ રહેલો છે. આ વિચાર અમને સ્પર્શતો નથી ત્યાં સુધી અમે ધર્મમહાસત્તાની વિમુખ છીએ. રસસિદ્ધિનો પ્રયોગ
જો આપણને કોઈ સિદ્ધપુરુષ તાંબાનું સુવર્ણ બનાવવાની રસસિદ્ધિ બતાવે તો તે પ્રયોગ આપણે કરીએ કે નહિ ? તે માટે તે સિદ્ધપુરુષને અનુસરીએ કે નહિ?
તાંબાનું સુવર્ણ બનાવવા માટે આપણે તરત જ તૈયાર થઈશું. તે માટે સર્વ પુરુષાર્થ કરીશું. સિદ્ધપુરુષે બતાવેલી રસસિદ્ધિ માટેની વિધિને બરાબર અનુસરીશું અને જો પ્રયોગ સફળ નહિ થાય તો આપણી ખામી ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન કરીશું.
૯૮ - ધર્મ-ચિંતન