________________
સહજમળનો હ્રાસ એટલે પાપના મૂળનો નાશ.
ભવ્યત્વનો પરિપાક એટલે મુક્તિમાં જવાની જીવની સ્વાભાવિક યોગ્યતાનો વિકાસ.
આ બે સંકલ્પ હૃદયમાં રહે એટલે દુર્વિચાર જરૂર ઘટે. સદ્વિચાર જરૂર વધે.
નમનીય એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ન નમવું અને અનમનીય એવા વિષયોને નમવું એ જ અયોગ્યતા છે. નમનીયને નમવાથી એ અયોગ્યતા ટળે છે અને યોગ્યતા વિકસે છે અને તેના પરિણામે ઉભયલોકમાં સુખ મળે છે અને અલ્પકાળમાં મુક્તિના અવ્યાબાધ સુખના સુખપૂર્વક અધિકારી થઈ શકાય છે.
ઉક્ત બે સંકલ્પપૂર્વક થતી શ્રીનવકારની આરાધના પાપને વધારનારા સ્વાર્થને ઘટાડે છે. ભવ્યત્વને પકવનારા પરમાર્થભાવને વિકસાવે છે.
અંધકાર ઓસરતો જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય તેમ સહજમળ ઘટતો જાય તેમ તેમ ભવ્યત્વ પાકતું જાય.
જીવને પાપની પ્રેરણા સહજમળ કરે છે. તે જ તેનો સ્વભાવ છે. જીવને સત્કાર્યની પ્રેરણા ભવ્યત્વના યોગ થાય છે.
ભવ્યત્વના પરિપાક અનુસાર, શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોના સર્વોત્કૃષ્ટ ભાવને લાયક બની શકાય છે.
સહજમળ જીવને સંસાર તરફ ખેંચે છે, તથાભવ્યત્વ મુક્તિ તરફ ખેંચે છે. બેમાંથી જેનું જોર વધે છે તેની જીત થાય છે.
વિષય કષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમવાથી જીવના ભવ્યત્વભાવનું બળ વધે છે. ભવ્યત્વભાવ વધે એટલે સહજમળનો હ્રાસ થાય.
મતલબ કે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને કરાતો નમસ્કાર, પાપના મૂળના નાશની અને મુક્તિના બીજના વિકાસની આપણી આરાધનાના પ્રયોજનને સિદ્ધ કરે છે.
ઉક્ત સંકલ્પો પૂર્વક આપણે જે નમસ્કાર કરીએ તે, “અપૂર્વ નમસ્કાર કહેવાય. તે સિવાયના ઘણા જ નમસ્કાર આપણે આજ પૂર્વે કરી ચૂક્યા છીએ.
હથોડીનો પ્રત્યેક ઘા, સોનીના મનમાં રહેલા ઘાટને સુવર્ણમાં સાકાર બનાવે છે,
૧૪૬, ધર્મ-ચિંતન