________________
- પરમ ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ રસસિદ્ધિનો મહાપ્રયોગ દર્શાવ્યો છે. બહિરાત્મભાવના કથીરમાંથી પરમાત્મભાવનો પારસ પ્રગટાવવાની પ્રક્રિયા પ્રકાશી છે.
આ શ્રેષ્ઠ પ્રયોગ કરવાની તક માત્ર મનુષ્યભવમાં પ્રાપ્ત થાય છે. આ અદ્ભુત તક આજે આપણને પ્રાપ્ત થઈ છે. વાદવિવાદ અને વિતંડામાં સમય અને શક્તિની આ અમૂલ્ય સામગ્રી વેડફવાનો આપણને અધિકાર નથી. એક ક્ષણનાય વિલંબ વિના આ મહાપ્રયોગ પાછળ આપણે લાગી જઈએ. * શ્રેષ્ઠ રસસિદ્ધિની પ્રક્રિયાનું પ્રથમ પગલું ધર્મમહાસત્તાની સન્મુખ થવું તે છે.
આવી સન્મુખતા અહંકારભાવ ઓગળ્યા પછી, અને નમસ્કારભાવ પ્રગટ્યા પછી આવે છે. આવી સન્મુખતા કૃતજ્ઞતાભાવ સ્પર્ધ્યા પછી અને પરાર્થકારિતા જાગ્યા પછી આવે છે. ધર્મમહાસત્તાની સન્મુખતા
પરમાર્થથી નમસ્કારભાવ આવ્યા પછી સમગ્ર વિશ્વમાં ધર્મમહાસત્તાનો સંપૂર્ણ પ્રભાવ સમજાય છે. સમ્યગ્દર્શનમાં ધર્મમહાસત્તાનું યથાયોગ્ય દર્શન છે.
અને ત્યારે આરાધકને જગતના દશ્ય-અદેશ્ય સર્વભાવો કઈ રીતે મુક્તિમાર્ગના બોધક છે અને ક્યાં, કેમ કયારે સહાયક છે એ સ્પષ્ટ સમજાય છે. તેથી કોઈ જીવ કે પદાર્થ પ્રત્યે દ્વેષ થતો નથી.
ભય, દ્વેષ અને ખેદ આત્માનું અહિત કરનારા છે. તથા તે બધાનું મૂળ સર્વ નિરપેક્ષ પોતાના સ્વાર્થભાવમાં છે આ સત્ય અહીં આરાધકને સ્પર્શે છે.
ધર્મમહાસત્તાની આજ્ઞાને આધીન કરવાનું જેનું કાર્ય છે તે કર્મસત્તાના શુભઅશુભ ઉભય પ્રકારો જીવને ન્યાયમાર્ગે દોરવામાં સહાયક બની શકે છે. શરત એટલી જ કે આપણી સમગ્રતાનું મોં ધર્મમહાસત્તા તરફ રહેવું જોઈએ. આવું સંપૂર્ણ સમર્પણ ન્યાયમાર્ગે જ શકય બને છે.
ન્યાયમાર્ગ એટલે મોક્ષમાર્ગ અથવા મોક્ષમાર્ગ એટલે સંપૂર્ણ ન્યાયમાર્ગ.
નમસ્કારભાવ આ ન્યાયમાર્ગનો પ્રાણ છે. નમસ્કારભાવ આવ્યા વિના ન્યાયમાર્ગનું પાલન શક્ય નથી.
તત્ત્વથી જગતના સર્વભાવો જીવના –કાલિક જીવનનો નકશો હોવાથી તેને પોતાના સર્વકાલીન જીવનનો બોધ કરવા દ્વારા ઉપકાર કરી રહ્યા છે, એમ ન્યાયમાર્ગનું પાલન કરનાર આરાધકને અનુભવાય છે.
ધર્મ-ચિંતન - ૯૯