________________
(૫૧) વેદનીય કર્મનું એકજ બંધ સ્થાન છે. ચાહે સાતા બાંધે ચાહે અસાતા બાંધે, પણ એક બીજાની વિરેધી. હિવાથી બંને સાથે ન બાંધે.
મોહનીય કર્મનાં દશ બંધ સ્થાન છે.
(૧) એક મિથ્યાત્વ ૧, સેળ કષાયે ૧૬, કેઈ પણ એક વેદ ૧, હાસ્ય રતિનું જોડકું અથવા અરતિ શેકનું એક જોડકું તેમાંથી એક જોડકું લેતાં તે બે ૨ તથા ભય ૧, જુગુપ્સા ર, મળી કુલ રર પ્રકૃતિને બંધ હોય છે.
(૨) મિથ્યાત્વને બંધ દૂર થતાં સાસ્વાદન ગુણસ્થાનમાં ૨૧ને બંધ છે.
(૩) તેમાંથી મિશ્ર દષ્ટિ અથવા અવિરત સમ્યગ દષ્ટિને અનંતાનુબંધી ચેકડી દૂર થવાથી ૧૭ પ્રકારને બંધ છે.
. (૪) તેમાંથી દેશ વિરતિ ગુણસ્થાને અપ્રત્યાખ્યાનની ચેકડીના બંધને અભાવ થવાથી ૧૩ ને બંધ છે.
(૫) તેમાંથી પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણમાં વર્તતા સાધુને પ્રત્યાખ્યાનની ચેકડી દૂર થવાથી તેને બંધ છે. . (૬) તેમાંથી હાસ્ય વિગેરેનું જોડકું તથા ભય જુગુપ્સા દૂર થવાથી ફક્ત પને બંધ અપૂર્વ કરણના ચરમ (છેલા) સમયે છે.
(૭) તેમાંથી અનિવૃત્તિકરણના સંખેય ભાગ વીતે શકે પુરૂષ વેદના બંધને અભાવ થતાં ચારને બંધ છે..