________________
(૧૧૦) - તેનાથી પણ પૂર્વે સર્વ વિરતિ લીધેલાની અસંખ્યય ગુણ નિર્જરા જાણવી, મૂળમાં “અણુતકર્મ સે” છે, તેને અર્થ અનંતાનુબંધી આશ્રયી જાણ, એટલે ભીમ કહેવાથી ભીમસેન ભામાથી સત્યભામા થાય, તે પ્રમાણે છે. મેહનીય કર્મના અનંત ભાગો છે, તેને ખપાવવાની ઈચ્છાવાળે અસંખ્યય ગુણ નિર્જરા કરનારે જાણવે, ત્યાર પછી ક્ષપક (ક્ષય કરનારે) જાણવે, ત્યાર પછી ક્ષીણ અનંતાનુબંધી કષાયવાળે જાણ, તેજ દર્શન મેહનીયની ત્રણે પ્રકૃતિમાં ક્રિયાના સન્મુખમાં ઉભા રહેલ અપવર્ગનું ત્રિક જાણવું ત્યાર પછી સાત પ્રકૃતિ ક્ષીણ થવાથી ઉપશમ શ્રેણિમાં ચઢે અસંખ્ય ગુણ નિર્જરવાળે જાણવે, ત્યાર પછી ઉપશાંત મેહવાગે જાણ ત્યાર પછી ચારિત્ર મિહનીયને ક્ષય કરનાર જાણ, ત્યાર પછી ક્ષીણ મેહવાગે જાણ, અહિયાં અભિમુખ વિગેરે ઘણું યથાસંભવ જના કરવી, ત્યાર પછી ભવસ્થ કેવળી (જિન) જાણવા ત્યાર પછી શૈલેશી અવસ્થાવાળે અસંખ્યય ગુણ નિર્જરવાળે જાણ. તેથી એ પ્રમાણે કર્મ નિર્જરા માટે અસંખ્યય લેક આકાશ પ્રદેશ પ્રમાણે બનાવેલ સંયમ સ્થાનના પ્રચયથી ઉત્પન્ન થયેલ શ્રેણું છે, તે ઉત્તરોત્તર અસંખ્ય ગુણવાળી જાણવી, કારણ કે ઉત્તરોત્તર પ્રવધમાન અધ્યવસાયના કંડકને સ્વકાર છે, જેમ સંયમ પયય વધે તેમ ચારિત્રમાં આત્માની નિર્મળતા વધે.)