________________
(૨૪૮) કરે, એટલે, આગમમાં બતાવ્યા પ્રમાણે સર્વસંગથી વિરતિ કરી (મમત્વ-ત્યાગી) ને સંયમકૃત્ય કરવા તથા પુરસ્કારને સર્વત્ર આગળ સ્થાપ; અને તે પ્રમાણે આચાર્ય સંબંધી વર્તવું તથા આચાર્યની સંજ્ઞા પ્રમાણે આચરવું. અર્થાત તેમનું કહેલું ધ્યાનમાં લઈ પછી તે પ્રમાણે વર્તવું પણ પિતાની મતિકલ્પનાથી કોઈપણ કાર્ય ન કરે, તથા ગુરૂનું નિવેશન તે પિતાનું કરે; એટલે, સદા ગુરૂકુળ-વાસ સેવે, ત્યાં ગુરૂકુળમાં વસતે કે થાય ? તે કહે છે. તેનાથી વિહાર કરનાશ થાય યતનાથી પડિલેહણ કરતા પ્રાણીને ઉપમન ન કરે. વળી, આચાર્યના ચિત્ત (અભિપ્રાય) પ્રમાણે ક્રિયામાં પ્રવર્તે છે. ચિત્તનિપાતી કહેવાય છે, તથા ગુરૂ કઈ જગ્યાએ ગયા હોય તે, તે તરફ ધ્યાન રાખે; તે પંથ નિર્ધાયી કહેવાય; તથા ગુરૂના સંથારાને દેખનાર તે સંસ્તારક પ્રલેકી. અને ગુરૂ ભૂખ્યા હોય તે, આહાર શોધે તે વિગેરે દરેક રીતે ગુરૂની આરાધના કરવાથી સદા ગુરૂને આરાધક બને. વળી, દરેક વખતે ગુરૂને અવગ્રહ કાર્યપ્રસંગ સિવાય આગળપાછળ સાચવે, (કાર્યપ્રસંગે અવગ્રહમાં જાય, નહિ તે સાડાત્રણ હાથની અંદર ન જાય,) આ સૂત્રથી ત્રણ ઈર્યા ઉદ્દેશકમાં રહી છે. (તેમાં ઈર્યો સમિતિનું વર્ણન છે.) વળી કઈ પણ કાર્યમાં ગુરૂએ મોકલ્યા હોય, તે પ્રાણીઓને સાડાત્રણ હાથની જગ્યામાં શોધતે તેને દુઃખ ન થાય, તેમ યાતનાથી ચાલે. વળી–