________________
(૨૬૧)
બીજા ભાંગામાં તીર્થકરે છે, ત્રીજા ભાગમાં અહાલદિક છે તેમને કઈ વખત અર્થની પ્રાપ્તિ થઈ ન હોય, ત્યારે આચાર્ય વિગેરે પાસેથી તેમને તેના નિર્ણયને સદ્ભાવ છે, અને પ્રત્યેક બુદ્ધને ઉભય (લેવું આપવું ને ભણવું ભણાવવું). તેને નિષેધ હોવાથી તેઓ ચેથા ભાંગામાં છે, પણ આ જગ્યાએ પ્રથમ ભંગમાં આવેલા ને ભણવા ભણાવવાને સદ્ભાવ હોવાથી તેને અધિકાર છે, અને તેવા હૃદ રૂપ આચાર્યને જ અહીં દષ્ટાંત છે, અને તે હૃદ નિર્મલ જલને. ભરેલે, તથા સર્વ રૂતુમાં જન્મનારા (ઉપન્ન થનારા) કમ-* ળથી શોભાયમાન છે, સમ ભૂભાગમાં રહેલ પાણીનું નીકળવું અને આવવું નિત્યજ થાય છે, પણ કોઈ દહાડે સુકાતે નથી, અને સુખેથી તેમાં તરવાનું તથા નિકળવાનું બની શકે તેવે છે, તથા ઉપશાંત તે રજ વિગેરે જે પાણીને કાળું બનાવે છે જેમાંથી દૂર થયેલ છે, તથા જુદી જુદી જાતના જળચર જીના સમૂહને બચાવ અથવા જળચર જીવડે પિતાની રક્ષા કરતે રહેલ છે, આ આપણું ચાલુ કિયા દષ્ટાંતમાં લેવાની એટલે આ હદ જેવા આચાર્ય છે, તે પ્રથમ ભાંગાના લેવા, પાંચ પ્રકારના આચાર યુક્ત છે. અને આચાર્યની આઠ પ્રકારની સંપદાથી જોડાયેલું છે, તે બતાવે છે. आयार सुअ सरीरे वयणे वायण मई पओगई एएस संपया खलु अहमिआ संगह परिन्ना ॥१॥