________________
(૧૦૮) અને સંસારના આરાતીય તીરે (મોક્ષમાં જવાની તૈયારીવાળા) કેવા અધ્યવસાયવાળ હેય છે, તે કહે છે,
से पासफसियमवि कुसग्गे पणुनं निवड वाएरियं, एवं बालस्स जीविय मरस अवियणाओ, कूराई कम्माई वाले पकुवमाणे तेण दुक्खेण मूढे विपरि आममुवेइ, मोहण गन्मं मरणाइ एइ, एत्थ मोहे पुणो पुणो (सू० १४२).
- જેનું મિથ્યાત્વ પડલ (પડદે) દૂર થયેલ છે, અને સમ્યકત્વના પ્રભાવથી સંસારની અસારતા જાણેલી છે, (દય ધાતુને અર્થ પ્રાપ્તિના અર્થમાં છે,) તે જાણે છે કે, કુશના અગ્ર ભાગે રહેલા પાણીના બિંદુ માફક સંસારી (બાલ) જીવનું આયુષ્ય છે, અને તે પાણીના બિંદુ ઉપર ઉપરથી આવતા પાણીના બીજા બિંદુથી પ્રેરણા થતાં વાયુના ઝપાટાથી પડતાં વાર ન લાગે, તેમ આ બાલ જીવનું જીવિત છે, તેનું ક્ષણમાત્ર જીવિત જાણુંને, તત્વ જાણનારે કહ્યું સાધુ તેમાં મેહ ન કરે, માટે બાળ શબ્દ લીધે છે, એટલે બાળ તે અજ્ઞાની છે, તે અજ્ઞાનપણથી જીવિતને બહુ માને છે, તેથી બાળ છે, મંદ છે, સઅસના વિવેકથી શૂન્ય છે, તેથી બુદ્ધિહીન હોવાથી જ પરમાર્થને જાણ નથી, અને પરમાર્થને ન જાણવાથી જ જીવિતને બહુ માને છે, અને પર માથે ન જાણવાથી તે શું કરે છે, તે કહે છે, "ur