________________
(૭૨) બીજા આચાર્યો નીચે પ્રમાણે કહે છે – (પ્રથમનું સૂત્રકાવ્ય) બીજી રીતે કહે છે –
"अवरेण पुव्वं किह से अतीतं, किह आगमिस्सं न सरंति एमे ॥ भासन्ति एगे इह माणवा ओ, जह स अईअं तह आगमिस्सं ॥१॥"
પૂર્વ જન્મ સાથે બીજા જન્મને સંબંધ જાણતા નથી, કે કેવી રીતે અથવા કયા પ્રકારે પૂર્વે સુખ દુઃખ હતું, અને ભવિષ્યમાં કેવી રીતે સુખ દુઃખ થશે તે જાણતા નથી.
અથવા બીજા વાદીએ આમ બેલે છે કે,
આમાં શું જાણવાનું છે? જેવી રીતે હમણું પૂર્વના રાગદ્વેષથી ઉત્પન્ન થએલા કર્મ વડે જીવને બંધાયેલા કર્મનાં ફળ સંસારમાં ભેગવવાં પડે છે. તેમજ પૂર્વ પણ હતું અને ભવિષ્યમાં થવાનું છે, (તેમાં વધારે શું જાણવાનું છે?)
અથવા પ્રમાદ વિષય કષાય વિગેરેથો કર્મો એકઠાં થવાથી ઈષ્ટ અનિષ્ટ વિષયોને અનુભવતા જ સર્વજ્ઞની વાણીરૂપ અમૃતના સ્વાદને ન જાણનારા જેઓ છે, તેમને જેમ ભૂતકાળમાં સંસારમાં સુખ દુઃખ અનુભવ્યું, તેવું ભવિષ્યમાં પણ અનુભવશે.
આ પણ જેઓ સંસાર સમુદ્રથી તરવાવાળા છે, તેઓ કમનું ફળ જાણે છે, તે બતાવે છે, તે સૂત્રના બીજા કાવ્યમાં કહે છે જે જીવેનું સંસારમાં ફરી આવવું નથી