________________
૧૦
- [વચનામૃત-૨] (અહીંયા કહે છે) ..પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો..... જાગ્યો અંદરથી ! આહા...હા...! અરે...! હું તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ છું ! મારા સ્વરૂપમાં રાગ પણ નથી, દયા, દાનના વિકલ્પો મારી ચીજમાં નથી, તો આ ધૂળ-પૈસા અને શરીર-માટી-ધૂળ એ તો અંદરમાં તે હતી જ ક્યાં ? આહા..હા...! પણ એના પ્રેમ અને પ્રીતિમાં દોરાઈ ગયો છે. હવે કહે છે ઊંડાણમાં ઉતર ! આહા...હા....! . .
“...જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની લગની લાગવી જોઈએ. બાપા ! આહા...હા...! એની લગની લાગે તો એ એને માર્ગ કરી દેશે. એને માર્ગ થયે છૂટકો! આહા...હા...! પણ લગની લાગવી જોઈએ. આહા...હા...! “...ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે.”
આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. કેટલાક કહે છે . “અમે બહુ મહેનત કરીએ છીએ પણ સમજાતું - નથી.” તો એ મહેનત જ બીજી જાતની (કરે છે. જેને પકડવો જોઈએ એવી (એને ઓળખવાની) મહેનત હોય તો પકડાયા વિના રહે જ નહિ. સમજાય છે કાંઈ ? (એને પકડવા) ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે, પ્રભુ ! બહુ ઝીણો કરવો પડે. જાણવા-દેખવાની દશાને બહુ ઝીણી કરવી પડે અને ઝીણો કરે તો ઝીણી ચીજ છે એ હાથમાં આવે. જુદી જાત છે, પ્રભુ ! આહ.....હા...!
(માટે કહે છે“.....આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ... અંદરથી લગની લાગવી જોઈએ. આહા...હા...! એક જ આત્મા.... આત્મા.... આત્મા....! સપનામાં આત્મા.... જાગૃતિમાં આત્મા.... વિચારમાં આત્મા.... કલ્પનામાં આત્મા... આહા...હા...! એમ જેને લગની લાગે (તેને માર્ગ મળે છે.
“...તેની પાછળ લાગવું જોઈએ.’ આત્માની પાછળ લાગવું જોઈએ. જેમ પૈસા ને બાયડી ને છોકરાની પાછળ લાગ્યો છે, એમ આત્માની પાછળ લાગવું જોઈએ. આહા...હા.... (એમ) .તેની પાછળ લાગવું જોઈએ.
આત્માને ધ્યેયરૂપ રાખીને શું કહે છે ? આત્માને ધ્યેયરૂપ રાખીને) એટલે લક્ષમાં લઈને, ધ્યેય બનાવીને દૃષ્ટિમાં તેને ધ્યેય બનાવીને, તેને
:
,