________________
પડી એ કર્મકાંડેની છાપ આજે પણ દિગંબર સમાજમાં કેટલી ઊંડી
છે? જુએ, દિગંબર શ્રમણની ગેચરી વખતની અસલ કોણ બચ્યું? યિા, શ્રાવક વર્ગની જનોઈ ધારણ કરવાની
ક્રિયા ઈત્યાદિમાં બ્રાહ્મણ કર્મકાંડેની અસર નથી એમ કોણ કહી શકશે ?
કાઠિયાવાડ, ગૂજરાતમાં વૈષ્ણવ અને શેવાનું જેર થયું એટલે એને ચેપ જેનોનેય લાગ્યો. જેની સામાજિક પ્રણાલિકામાં એની
જ ઊંડી છાપ છે. અસ્પૃશ્યતા, જ્ઞાતિભેદ, કોમીઅન્ય ધમઓની ચુસ્તતા, સ્ત્રીપુરુષના અસમાન અધિકાર વગેરે અસર તો એના પ્રમાણરૂપ છે. આવું તો ઘણું છે.
જેવી રીતે જનજીવન પર એની અસર છે, તેવી જ જૈન સાહિત્ય પર પણ છે જ.
દિગંબરીય સાહિત્યમાં આજે પણ દેખાતા તત્ત્વજ્ઞાનના વલણમાં તદ્દેશીય ઈતર દર્શનના સાહિત્યની અસર ઝબક્યા વિના રહેતી નથી.
વેતાંબર સાહિત્યમાં પણ એ વલણ તો સ્પષ્ટ જ પરસ્પરની અસર છે, અને હોવું જોઈએ. કારણકે તે અનિવાર્ય
છે. પાસે ઊભેલા સમાજની છાયા બીજા સમાજ પર પડે એમાં કશું આશ્ચર્ય નથી. જેવી રીતે જૈનદર્શનના સાહિત્યમાં ઈતર છાયા છે તેમ છતરમાં જૈનસાહિત્યની છાયા પણ છે જ.
ગદર્શન સાંખ્યને જ ઉત્તરવિભાગ છે, એવી પ્રામાણિક માન્યતા છે. કાળદષ્ટિએ જોતાં સાંખ્યદર્શનની પહેલાં આગમકાળ
છે, એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. તત્ત્વાર્થપાસેના પડછાયા સૂત્ર કેવળ જૈન આગમના પાયા ઉપર રચાયું
છે, એટલું જ નહિ પણ એનાં બધાં સૂત્રો જૈન આગમમાં છે એવું સ્થાનનિર્દેશ કરી સમન્વય બતાવતું એક પુસ્તક પણ બહાર પડી ચૂકયું છે.
૧. ગીતાજીમાં પણ આ જ ભાવ છે જુઓ અ. પ, લોક ૪. - ૨. જુઓ ઉપાધ્યાય શ્રી આત્મારામજીકૃત “તાર્થ ઔર આગમસમન્વય.