________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ખુજલી, કાનમાં ચસકા, દાઢની પીડા, જળોદર આદિ તો દેખાતા જ હતા, ત્યાં કોઠે પણ દેખાવ દીધો. તેનું આખું શરીર ગંદુ-બેડોળ ને બિહામણું થઈ ગયું. કાંઈ પણ ખાવા કે ભોગવવા યોગ્ય ન રહ્યો.
કહ્યું છે કે દુષ્ટો, દુર્જનો, પાપીઓ, દૂર કર્મ કરનારા અને અનાચારમાં રત રહેનારાઓને આ ભવમાં જ પાપના ફળ મળે છે.
તે રાઠોડે ક્રોધ અને લોભને વશ થઈ ઘોર પાપો કર્યા અને માણસના મોંઘા ભવને પાપાચારમાં વિતાવ્યો. અઢીસો વર્ષના આયુષ્યમાં માંદગીની ઘણી વ્યથા સહી મૃત્યુ પામી પ્રથમ નરક ગયો. ત્યાં કારમી વેદના સહી આયુષ્ય પૂર્ણ થયે અહીં મૃગાદેવીનો પુત્ર થયો. એનું દુ:ખ તો એ જ જાણે. ગૌતમ ! બત્રીશ વર્ષનું આયુ પૂર્ણ કરી ભરતના વૈતાઢ્ય પર્વત પાસે સિંહ થઈ ફરી પ્રથમ નરકમાં જશે. ત્યાંથી સરિસૃપ થઈ બીજી નરકે, પછી પક્ષી થઈ ત્રીજી નરકે. એમ એકેક ભવના અંતરે સાતમી નરક પર્યત જશે. પછી સ્થળચર-પશુ થઈ ખેચર આદિમાં ઉત્પન્ન થઈ વિકલેંદ્રિયમાં ભમી પૃથ્વી આદિ સ્થાવરોમાં ભટકી ચોર્યાશી લાખ જીવાયોનિમાં અનેક દુઃખો સહી અકામનિર્જરાએ હળુકર્મી થઈ કોઈ શેઠને ત્યાં જન્મશે, ઉત્તમકુળના પ્રતાપે સુસાધુના સમાગમ તેને ધર્મની પ્રાપ્તિ થશે. ધર્મના પ્રતાપે આ દેવ-મનુષ્યના ભવો પામશે ને અંતે મોક્ષ પણ મેળવશે.” ઇત્યાદિ મૃગાપુત્ર લોઢીયાનું ચરિત્ર સાંભળી શ્રી ગૌતમ આદિ અનેક મહાનુભાવો દયાના મહિમાનો વિસ્તાર કરવાવાળા થયા.
આ કથા સાંભળી સહુએ જીવોની સંપૂર્ણ હિંસાના ત્યાગનો પુરુષાર્થ કરવો. ચિત્તને સદા સ્વચ્છ અને અહિંસક રાખવું.
560
અહિંસક જીવન અહિંસક જીવન એ સાચું જીવન છે. હિંસાની ઇચ્છા પણ પોતાના આત્મા માટેનો મોટો અપરાધ છે.
જે આત્મા સંકલ્પથી પરની હિંસા ચિંતવે છે. તે ખરેખર પોતાના આત્માને દુઃખની ભૂમિમાં નાખવા માટે પાપ ઉપાર્જે છે. આ સંબંધમાં દાસીપુત્રનો પ્રબંધ આ પ્રમાણે છે :
દાસીપુત્રનો પ્રબંધ કૌશાંબીનગરીમાં મહિપાળ નામનો રાજા શાસન કરતો હતો. એ સમયે એકવાર ત્યાંના ઉદ્યાનમાં અવધિજ્ઞાની વરદત્ત-અણગાર પધાર્યા. તેમણે દેશના આપતા કહ્યું - “જેમ ચંદ્રમા પોતાની