Book Title: Updesh Prasad Part 02
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ નહીં, તેમાં જણાવેલ આસનાદિ, મંત્રો કે ઔષધ કામોદ્દીપન પ્રયોગાદિ શીખવા કે કરવા નહીં. આ બધા પ્રમાદાચરણ કહેવાય. તેને ધર્મજ્ઞ માણસે આચરવા નહીં. अनर्थदण्डोऽपविचिंतनादिक-श्चतुर्विधोऽत्र ग्रथितः सदागमे । ततः प्रमादो गुणहानिहेतुको, विशेषमुच्यश्चरमे गुणव्रते ॥ १ ॥ અર્થ - ઉત્તમ જિનાગમની અંદર અપધ્યાન આદિ ચાર પ્રકારનો અનર્થદંડ બતાવવામાં આવેલો છે, તેમાં પણ પ્રમાદ તો અનેક ગુણની હાનિ કરવામાં પ્રબળ કારણ છે, તેથી અંતિમ ગુણવ્રતમાં તેનો વિશેષે કરી ત્યાગ કરવો. શ્રી વિજયલક્ષ્મી સૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં ૧ થી ૮ વ્રતાધિકાર પ્રતિપાદન રૂપ બીજો ભાગ પરિપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 309 310 311 312