Book Title: Updesh Prasad Part 02
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 290
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૨૭૭ પુત્ર સાથે રાજા મંત્રીને ઘરે આવ્યા. ત્યાં પડદામાં રહેલા શારદાનંદ ગુરુએ સાદ બદલી આ પ્રમાણે શ્લોકો કહ્યા. विश्वासप्रतिपन्नानां, वञ्चने का विदग्धता ?।। अङ्कमारुह्य सुप्तानां, हन्तुं किं नाम पौरुषम् ॥ १ ॥ અર્થ - આપણા વિશ્વાસે રહેલાને છેતરવામાં ભલા શી ચતુરાઈ ? અને ખોળામાં સૂતેલાને મારી નાખવામાં કયું પૌરુષ? આ સાંભળી કુમારે વિ' બોલવો છોડી દીધો ને સેમિરા-સેમિરા રટવા માંડ્યો. શારદાનંદ બીજો શ્લોક કહ્યો – सेतुं गत्वा समुद्रस्य गङ्गासागरसङ्गमे । ब्रह्मघ्नो मुच्यते पापै-मित्रद्रोही न मुच्यते ॥ २ ॥ અર્થ - સમુદ્રસેતુ (સેતુબંધ રામેશ્વર) જઈને અથવા ગંગાસાગરના સંગમતીર્થે જવાથી બ્રહ્મહત્યા કરનાર પાપ-હત્યામુક્ત થાય પણ મિત્રદ્રોહી માટે પાપથી મૂકાવાનું કોઈ સ્થાન નથી. આ સાંભળી બીજો અક્ષર “સે પણ છૂટી જતાં કુમાર મિરા-મિરા બોલવા લાગ્યો. રાજા આદિને વિશ્વાસ થયો કે કુમાર ચારે અક્ષર છોડી ડાહ્યો થઈ જશે. ત્રીજો શ્લોક શારદાનંદે આ પ્રમાણે કહ્યો – मित्रद्रोही कृतघ्नश्च, स्तेयी विश्वासघातकः ।। चत्वारो नरकं यान्ति, यावच्चन्द्रदिवाकरौ ॥ ३ ॥ અર્થ:- મિત્રદ્રોહી, કૃતઘ્ન, ચોર અને વિશ્વાસઘાતીઓ ચારે પ્રકારના જીવો સૂર્ય ચન્દ્રના અસ્તિત્વ સુધી નરકમાં રહે છે. આ સાંભળી કુમાર માત્ર રા, રા, બોલવા લાગ્યો. ત્યાં પડદામાંથી પાછો શ્લોક સંભળાયો. राजन् ! त्वं राजपुत्रस्य यदि कल्याणमिच्छसि । देहि दानं सुपात्रेषु, गृही दानेन शुद्धयति ॥ ४ ॥ અર્થ – હે રાજા ! તું તારા પુત્રનું કલ્યાણ ઇચ્છતા હો તો સુપાત્રોમાં દાન આપ કેમકે ગૃહસ્થ દાન આપવાથી શુદ્ધ થાય છે. આ સાંભળતાં કુમાર સ્વસ્થ થઈ ગયો ને તેણે લવારાં છોડી દીધા. તેણે સહુની સમક્ષ વનમાં બનેલો બનાવ કહી સંભળાવ્યો ને પોતે કરેલા વિશ્વાસઘાતનો રંજ અનુભવ્યો. આ સાંભળી ચકિત થયેલા રાજાએ પૂછ્યું – “હે પુત્રી !! તું અહીં ઘરમાં રહીને વનમાં બનેલી વાઘ, વાંદરા ને કુમારની બીના કેવી રીતે જાણી શકી?' ત્યારે શારદાનંદે પાછો શ્લોક કહી મૂળ વાત જણાવી –

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312