Book Title: Updesh Prasad Part 02
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 303
________________ ૨૯૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ફરમાવી કે “આ દુષ્ટ બાઈને હમણાં જ મારા નગરમાંથી તગડી મૂકો.” તેને બચાવવાનો કોઈ ઉપાય સફળ ન થયો ને રોહિણીને કાઢી મૂકવામાં આવી. તેણે જંગલમાં ઘણા દુઃખો સહ્યાં ને મૃત્યુ પામીને વ્યંતરનિકામાં અપરિગ્રહિતા (ધણી વિનાની) દેવી થઈ. ત્યાંથી આવી એકેંદ્રિયાદિમાં અનંતકાળ ભમી. અંતે તેનો જીવ ભુવનભાનુ કેવળી થઈ મુક્તિ પામ્યો. વિકથા કરનાર જીવ ઘણું ઘોર દુઃખ અને વિડંબના પામે છે, એમ જાણી ભવ્યજીવોએ વૈરાગ્યવાસિત ને ઉપકારી એવી ધર્મકથામાં સદા મન પરોવવું ને સદા વિકથાથી દૂર રહેવું. ૧૩૪ પ્રમાદાચરણ जीवाकुलेषुत्थानेषु, मज्जनादिविधापनम् । रसदीपादिपात्राणि, आलस्यात् स्थग्यते न हि ॥ १ ॥ उल्लोचं नैव बध्नाति, स्थाने महानसादिके । सर्वमेतत् प्रमादस्या-चरणमभिधीयते ॥ २ ॥ અર્થ – જ્યાં (ઝીણાં) ઘણાં જ જંતુઓ હોય તે જીવાકુલભૂમિમાં સ્નાનાદિ કરવામાં આવે, રસ (પ્રવાહી) પદાર્થોના ભાજન તથા દીવા વગેરે પાત્રોને ઢાંકે નહિ તથા રસોડા આદિ સ્થાનમાં ચંદરવો ન બાંધવો આ બધાં પ્રમાદાચરણ કહેવાય. વિશેષાર્થ – જવાકુલભૂમિ એટલે જ્યાં લીલ, ફૂગ, સેવાળ, કીડી, મકોડા કે કુંથુવા આદિ જીવોની હિંસાના સંયોગવાળી ભૂમિ. તે ભૂમિમાં સ્નાનાદિ કરવાથી તે તે જીવોનો નાશ થાય.. એકાદશી પુરાણમાં કહ્યું છે કે – गृहे चैवोत्तमं स्नानं, जलं चैव सुशोधनात् । તત પડવશ્રેષ્ઠ ! દેસાને સમાવે છે ? | कूपे हृदेऽधमं स्नानं, नद्यामेव तु मध्यमम् । वाप्यां च वर्जयेत् स्नानं, तटाके नैव कारयेत् ॥ २ ॥ पीडयन्ते जन्तवो यत्र, जलमध्ये व्यवस्थिताः । स्नाने कृते ततः पार्थ ! पुण्यं पापं समं भवेत् ॥ ३ ॥ અર્થ - જળનું શોધન કરેલું (ગળેલું પાણી) હોઈ કરેલું જ્ઞાન એ ઉત્તમ સ્નાન છે, માટે હે પાંડવશ્રેષ્ઠ! તમારે ઘરમાં જ સ્નાન કરવું. કૂવા, કુંડ કે ધરામાં કરવામાં આવેલું સ્નાન તે અધમ

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312