________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
૨૪૩ હવેથી આ રાજ્યનો રાજા તું છે. તારા પ્રતાપે આખી પ્રજાનું હિત થશે. હું તારા રાજયનો રક્ષક કોટવાળ થઈને રહીશ.” રાજાએ રાજમહેલમાં આવી ધર્મરાજાના નામે રાજ્ય ચલાવવા માંડ્યું. ધર્મ યુવાન થયો એટલે તેને રાજા બનાવવામાં આવ્યો. ઘણી રાજકન્યાઓ તેને પરણી. ધર્મરાજાના પુણ્ય પ્રતાપે સદૈવ સુકાળ ને સર્વત્ર આનંદ વર્તાઈ રહ્યો.
સમ્યકત્વયુક્ત બાર વ્રતના ધારક ધર્મરાજા વિવિધ ભોગો ભોગવી, દીક્ષા લઈ આરાધી તે જ ભવે કેવળી થયા. અસીમ ઉપકાર કરી મુક્તિ પામ્યા. ધર્મરાજના બંને ભવનો મર્મ જાણી ધર્મિષ્ઠ જીવોએ સાતમું વ્રત લઈ પાળવા તત્પર બનવું.
૧૨૩
કમદાનના પંદર અતિચાર મફાર-વન- દ-માદિ-ઋોટ-કવિ . વત્ત-નાક્ષા-રસ-શોશ-વિષ-વાણિનિ ૨ | ૨ | यन्त्रपीडा निर्लाञ्छन-मसतीपोषणं तथा ।
दवदानं सरःशोष इति पञ्चदश त्यजेत् ॥२॥ અર્થ - અંગારકર્મ વનકર્મ, શકટકર્મ ભાટકકર્મ તથા સ્ફોટકકર્મ. આ પાંચ કર્મથી આજીવિકા ચલાવવી. દાંત, લાખ, રસ, કેશ અને વિષનો વ્યાપાર કરવો. યંત્રપીડા (ઘાણી વગેરે યંત્રો ચલાવવા), નિલંછન કર્મ, કુલટા કે અસદાચારીનું પોષણ કરવું, વનમાં દવ મૂકવો અને સરોવરનું શોષણ કરવું એવં પંદર કર્માદાનનો ત્યાગ કરવો.
કર્માદાનનું વિવેચન :- શ્લોકમાં જે જીવિકા શબ્દ છે તે પ્રત્યેક કર્માદાન સાથે જોડવો.
૧. અંગાર કર્મથી જીવિકા ચલાવવી એટલે લાકડા બાળી નવા અંગારા-કોલસા પાડવા. ચુનો તેમજ ઇંટની ભદ્દી કરનાર તથા કુંભાર, લુહાર, કલાલ, સોની અને ભાડભુજા વગેરેનો વ્યવસાય તે અંગારકર્મ કહેવાય. તેનાથી જીવિકા (જીવનનિર્વાહ) ચલાવવી તે અંગારજીવિકા સમજવી. આ જીવિકાનું મુખ્ય સાધન અગ્નિ છે અને અગ્નિ દશ (દિશા તરફ) ધારવાળું દશધારું ખગ છે. કેમકે તેમાં સર્વ તરફથી સર્વને બાળવાની શક્તિ રહેલી છે. આવી જીવિકામાં છ જવનિકાયનો સ્પષ્ટ વધ થાય છે. માટે આ વ્યાપાર ધર્મજ્ઞ શ્રાવકે ત્યાગ કરવા યોગ્ય છે. કર્માદાનનો આ પ્રથમ અતિચાર.
૨. વનકર્મ-વનસ્પતિ સંબંધી છેકેલા કે વિના છેદેલા પાંદડાં, ફૂલ, ફળ, કંદ, મૂળ, ઘાસ, કાષ્ઠ (નાના-મોટા કે ઈમારતી લાકડા) તથા વાંસ વગેરે લાવીને વેચવા, કે ઉદ્યાન-ઉપવન કે કુંડા