________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ લોકો તેની મશ્કરી ઉડાવતા, વ્યંગ કરતા ને ચાળા પાડતા. ભીખ માંગીને કંટાળી ગયેલો મુંજ બોલ્યો.
इत्थी पसंग मत को करो, तिय विसास दुःख पुंज ।
घर घर तिणे नचावीयो, जिम मक्कड तिम मुंज ॥ અર્થ - સ્ત્રીનો પ્રસંગ કોઈ કરશો નહીં, સ્ત્રીનો વિશ્વાસ તો દુઃખના ડુંગરા જેવો જ છે. તેણે આવા સમર્થ મુંજરાજાને માંકડાની જેમ ઘરે ઘરે નચાવ્યો.”
ખરૂં છે કે જેઓ સ્ત્રીને વશ પડે છે તેમના દુઃખનો પાર રહેતો નથી. મોટા મહારાજા કે મહાત્માઓ પોતાનો મોભો ને સ્થાન-વેશ અને માહાભ્યને છોડી દાસી જેવી સ્ત્રીઓમાં રાચે છે તો તેઓ અવશ્ય મુંજરાજાની જેમ મહાઅનર્થને પામે છે. પરાભવને સહે છે. પાછળથી તો બધાને જ્ઞાન થાય છે, પહેલાથી ચેતે તે ધન્ય છે. મુંજરાજાને પહેલાથી જ સબુદ્ધિ આવી હોત તો આ વિડંબના ન ઊભી થાત, પોતે સ્વતંત્ર રીતે જીવન જીવી શક્ત પણ મૃણાલવતીએ તેની દશા ખરાબ કરી નાખી.
એકવાર મુંજરાજે, કોઈને ઘેર જઈ ભિક્ષા માંગી, તો ગૃહિણીએ તિરસ્કાર કરી મોં મચકોડ્યું. તે જોઈ મુંજરાજે કાવ્યમાં કહ્યું – “ધનવતી બાઈ ! તારા આ ગોધનને જોઈ તું અભિમાન ન કરીશ, કારણ કે આ મુંજરાજાના ચઉદસો છોત્તેર હાથીઓમાંથી આજે એકે એની પાસે નથી. બધા ચાલ્યા ગયા. એકવાર અક્ષયતૃતીયાને દિવસે કોઈના ઘરે ગયેલા મુંજરાજે જોયું કે એક યુવતિએ માંડો (પોળી) હાથમાં લઈ બટકુ ભર્યું. માંડામાંથી ઘીના ટીપા ટપકતાં જોઈ મુંજે કવિત કરી કહ્યું -
रे रे मंडक मा रोदी,-र्यदहं खण्डितोऽनया । રામ-રાવUT-
મુદ્યા , સ્ત્રીfમ: જે ન પિતા છે. અર્થ :- અરે માંડા! સ્ત્રીએ ખંડિત કર્યો એમ માની રડ નહીં કારણ કે રામ (સ્ત્રીના કહેવાથી વિના વિચાર્યે મૃગ પછવાડે દોડ્યા) રાવણ અને મુંજ આદિ કયા પુરુષને સ્ત્રીએ ખંડિત કર્યા નથી ?
આગળ જતાં, રેંટીયો ફેરવતી કોઈ સ્ત્રીને જોઈ મુંજે કહ્યું - ધરે રેંટીયા ! તું રડ નહીં. તને જ આ બાઈ ફેરવે છે એવું નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રી કોને જમાડતી નથી. તે એક ખોટા કટાક્ષમાત્રમાં પણ ભ્રમિત કરી શકે છે. તો જેને હાથથી ખેંચે એની કઈ વલે થાય? તે ચંદ્રની રેખાની જેમ કુટિલ-વક્ર, સંધ્યાની જેમ ક્ષણિક રાગ (રંગ) રાખનારી અને નદીના પ્રવાહની જેમ નીચે ને નીચે સ્થળે ગમન કરનારી હોય છે. આવી સ્ત્રી છોડીને સુખી થાવ.
તેલંગરાજે મુંજરાજાને ઘણો સમય ભીખ મંગાવી કદર્થના કરી અને છેવટે તેના પ્રાણ લીધા.