________________
૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આયુષ્યવાળો આઠમા સ્વર્ગના દેવતા થોડીવારમાં ગધેડો કે કૂતરો બની જાય. મોહની મહાનિદ્રાવાળા જીવો જેના પ્રતાપે સંસારકૂવામાં પડવા તૈયાર થાય પણ સદ્ગતિનો યોગ્ય માર્ગ ન લે તે એક મિથ્યાત્વનો ઘોર અંધકાર જ છે.” આમ ઉત્તમ ચિંતનથી વૈરાગી થયેલા ચંદ્રરાજાએ પુત્રને રાજ્ય ભળાવી ચારિત્ર સ્વીકાર્યું. અતિચાર વિનાની સારી આરાધનાથી તેઓ એકાવતારી દેવ થયા. બંને હાથી મરીને પ્રથમ નરકે ગયા.
જેઓ ગૃહસ્થ જીવનમાં પણ પ્રથમવ્રતને ઉત્તમ રીતે અંગીકાર કરનારા અને પાળનારા થયા. અંતે સર્વ જીવોની દયામાં રત રહેનાર ચંદ્રરાજર્ષિ પ્રાંતે મોક્ષ પામ્યા. સર્વ ક્લેશ અને દુઃખથી મુક્તિ પામ્યા.
૦૫ અસત્ય ભાષણનો ત્યાગ (બીજું વ્રત) સૂક્ષ્મ અને બાદર (ચૂલ) એમ બે ભેદવાળું મૃષાવાદ હોય છે. તીવ્રસંકલ્પથી અસત્ય બોલાય તે સ્કૂલ અને હાસ્યાદિથી બોલાય તે સૂક્ષ્મ કહેવાય. મૃષાવાદ એટલે અસત્ય ભાષણ. તેથી અટકવારૂપ બીજું વ્રત તે મૃષાવાદવિરમણ વ્રત.
શ્રાવકે સ્થૂલ મૃષાવાદનો અવશ્ય ત્યાગ કરવાનો હોય છે અને સૂક્ષ્મ મૃષાવાદની યતના કરવાની હોય છે. સ્કૂલમૃષાવાદ અવશ્ય છોડી દેવું જોઈએ કેમકે તેથી લોકોમાં અપયશ આદિનું તે કારણ છે. બીજું અણુવ્રત સર્વથા અસત્યવર્જન કરવાનું સૂચવે છે. ખાસ કરીને પૃથ્વી, કન્યા, ગાય, ધન આદિની થાપણ અને સાક્ષીમાં કદી ખોટું બોલવું જ નહીં. તે બાબત કહ્યું છે કે “કન્યા, ગાય, ને ભૂમિ સંબંધી અસત્ય, કોઈની થાપણ ઓળવવી (લઈને પાછી ન આપવી) તેમજ ખોટી સાક્ષી પૂરવી આ પાંચ મોટા (સ્થૂલ) અસત્ય કહેવાય છે.
કન્યા સંબંધી ખોટું - જેમકે રાગ દ્વેષને લીધે સારી કન્યાને ખરાબ, વિષકન્યા, જડ, ખોડવાળી આદિ કહેવું. તથા સારી ન હોય તો સારી, દુઃશીલાને સુશીલા, જડને શાણી આદિ કહેવું ઈત્યાદિ કન્યા સંબંધી અલિક એટલે ખોટું કહેવાય. ઉપલક્ષણથી દાસ-દાસી આદિ સમસ્ત દ્વિપદ સંબંધી અસત્યનો આમાં સમાવેશ થાય છે.
ગાય સંબંધી અસત્ય-થોડું દૂધ આપતી ગાય માટે વધુ દૂધ આપનારી કે વધુ આપનારી ગાયને થોડું દૂધ આપનારી કહેવી વગેરે. ઉપલક્ષણથી બધા ચઉપગા પ્રાણી સંબંધી અસત્ય આ પ્રમાણે જાણીને વર્જવું.
ભૂમિ સંબંધી અસત્ય-પરાઈ ખેતીવાડી આદિ ભૂમિને આપણી કહેવી. ઉખરત્રને ફળદ્રુપ કહેવું વગેરે ભૂમિસંબંધી અસત્ય કહેવાય. આમાં હવેલી, ઘર, દુકાન, આદિ સ્થાવર વસ્તુનું