________________
પછી હીરાબા શાક લાવતા. તે જતી વખતે પૂછે કે શું શાક લાવું ? શરૂઆતમાં દાદાશ્રી કહેતા કે અમુક શાક લાવજો. પછી તો રોજ જતી વખતે પૂછે તો કહેતા કે તમને ઠીક લાગે તે લાવજો. રોજ આવું પૂછે તો દાદાશ્રી રોજ આવો જવાબ આપે, તે પછી પાંચ-સાત દહાડા પછી હીરાબા પૂછયા વગર લાવવા માંડ્યા. તે પછી દાદાશ્રી સમજી ગયા કે આ તો પૂછયા વગર લાવે છે ! તે ખાતી વખતે પૂછે કે આજે કારેલાનું શાક કેમ બનાવ્યું છે ? ત્યારે હીરાબા કહે, તમે જ કહો છો, ગમે તે લાવજો. ને આમ લાવ્યા પછી આવું કહો છો ? ત્યારે દાદાશ્રીએ સમજણ પાડી કે તમારે અમને પૂછવું ને અમે કહીશું, તમને ઠીક લાગે છે, પણ પૂછવું. તો આપણો વ્યવહાર ઊંચો દેખાય. આ ગોઠવેલું તે વિનય કહેવાય. હું કહું તે જ શાક તારે લાવવું એ અવિનય કહેવાય. આ પૂછવું એ સંસ્કાર કહેવાય. લોકો જુએ કે કહેવું પડે આ વ્યવહાર ! આ સંસ્કાર બહુ ઊંચા લાગે એમને. દાદાશ્રી વ્યવહાર પણ શિખવાડે છે ને ધર્મય શિખવાડે છે અને મોક્ષમાં કેમ જવાય તે પણ સમજણ આપે છે. એમાં જીવનમાં અડચણ ઓછી થાય તે હેતુ છે.
[૯] ફરી જઈને પણ ટાળ્યો મતભેદ જ્ઞાન પહેલા મતભેદ વગરનું જીવન જતું હતું, છતાં એક ફેરો જ્ઞાન પછી મતભેદ પડી ગયો હતો, પણ પછી પોતાની ભૂલ ભાંગીને તરત વેલ્ડિંગ કરી મતભેદ ટાળી દીધો. પ્રસંગ એવો બન્યો હતો કે હીરાબાના ભાઈને ત્યાં ચાર દીકરીઓ, એમાં મોટી દીકરીનું લગ્ન થવાનું હતું. તે હીરાબા પૂછવા માંડ્યા કે આ દીકરીને લગ્નમાં શું આપવું ? હીરાબાએ પૂછયું એટલે દાદાશ્રીએ પોતાની સમજણ પ્રમાણે જવાબ આપ્યો કે ઘરમાં ચાંદીના જે તૈયાર વાસણ પડ્યા છે તે આપજો, નવું અત્યારે મોંઘા ભાવનું બનાવવા કરતા. ત્યારે આ શબ્દો એમને વાંકા લાગ્યા ને કહેવા માંડ્યા કે તમારા મામાના દીકરાની દીકરી પૈણે છે તો આવડા આવડા તાટ કરાવો છો ને અમારે ત્યાં આટલું જ. આવું બોલ્યા કે તમારા ને અમારા થયું એટલે દાદાશ્રી પોતે સમજી ગયા કે આ ભેદ પડી ગયો, આ મારી ભૂલ થઈ ગઈ આજે. એમને આવું કહેવાનો વખત આવ્યો ? આ તો બહુ જ ખોટું કહેવાય, તરત મહીંથી અજવાળું થયું. ત્યાં પોતે તરત ફરી ગયા. કહેવા માંડ્યા કે મારું એવું કહેવાનો ભાવાર્થ
34